10/12/2025
નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, દાહોદ હસ્તકની ડૉ. આંબેડકર આશ્રમશાળા, ઉકરડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોસાલાના ડૉ. પ્રદિપભાઈ આર. વાળંદ અને તેમની ટીમ દ્વારા આશ્રમશાળાના વિદ્યાર્થીઓની શારિરીક તપાસણી/ તબીબી નિરીક્ષણ કરવામાં આવી તથા માનસિક સ્વાસ્થ્ય વિશે તેનાથી થતી ચિંતા મૂંઝવણ, તણાવ જેવા પ્રશ્નોને કેવી રીતે નિયંત્રણ કરવા તેમજ માનસિક બિમારીથી કેવી રીતે બહાર આવવું તે વિશેની હકારાત્મક પ્રવૃત્તિઓ થી માહિતગાર કરવામાં આવ્યા અને ત્યારબાદ ભવિષ્યમાં કોઇ પણ આત્મહત્યાનો વિચાર ન આવે અને તેના નિવારણ બાબતે કેવા પગલા લેવા તેના વિશે માહિતી આપી તેમજ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને પરામર્શ માટે ટોલ-ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૪૪૧૬ વિશે જાણકારી આપવામાં આવી.