Civil Defence Gandhinagar Unit

Civil Defence Gandhinagar Unit It uses the principles of emergency operations: prevention, mitigation, preparation, response, or emergency evacuation and recovery.

આ ઉપરાંત રાજ્યનાં તમામ નાગરિક સંરક્ષણ મથકો ખાતે પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેક્ટરોને ટ્રેઇન્‍ડ - ઇન્‍સ્‍ટ્રકટર તરીકે નિમણૂક આપવામાં આવે છે. જેઓ નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ પ્રજાજનોને આપવાની કામગીરી કરે છે. જેઓ નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ માટે યુનિટ વિસ્‍તારની શાળા, કોલેજો, ઔદ્યોગિક એકમો, સરકારી તથા અર્ધસરકારી કચેરીઓ, દવાખાનાઓ, બેન્કો, રહેણાક વિસ્‍તારોમાં મોટિવેશન કરી પ્રાથમિક તાલીમ વર્ગોનું આ

યોજન કરે છે. અને તાલીમ આપ્‍યા બાદ ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી નાગરિક સંરક્ષણની જુદીજુદી બાર સેવાઓમાં નિમણૂકો આપવાની કામગીરી કરે છે. આ ઉપરાંત નાગરિક સંરક્ષણ યુનિટ મથકો ખાતે માસ્‍ટર પ્‍લાન ઇન ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ અગત્‍યનાં સ્‍થાનો, મોટા અને આપત્તિજનક ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ નાગરિક સંરક્ષણ પેપર પ્‍લાન તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.

વધુમાં નાગરિક સંરક્ષણની વિસ્‍તૃત તાલીમ આપવાના ઉદ્દેશ માટે અમદાવાદ નાગરિક સંરક્ષણ વડી કચેરી ખાતે રાજ્યકક્ષાની નાગરિક સંરક્ષણ તાલીમ શાળા ઊભી કરવામાં આવેલ છે. આ તાલીમ શાળાના વડા તરીકે પોલીસ ખાતાના નાયબ પોલીસ અધીક્ષક આચાર્ય તરીકે ફરજ બજાવે છે.

યુદ્ધ સમયે હવાઈ હુમલાની ચેતવણી પ્રજાને પહોંચાડવા માટે રાજ્યના તમામ નાગરિક સંરક્ષણ કેટેગરાઇઝડ ટાઉનો ખાતે નાગરિક સંરક્ષણ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં સાઇરનો, વાયરલેસ સેટ અને ટેલિફોન ખાતાની નોન એકચેંન્‍જ લાઇન જેવાં આધુનિક સંદેશવ્‍યવહારનાં સાધનો ઉપલબ્‍ધ છે. હવાઈ હુમલાની ચેતવણી WARS (વોર્નીંગ ઓટોમેટેડ રીમોટ સાયરન) સાથે સંકળાયેલી સાઈરનો કુલ ૭૬૦ જેટલી રાજ્યનાં વિવિધ સ્‍થળોએ ગોઠવવામાં આવેલી છે.

સિવિલ ડિફેન્‍સ એક્સટર્નલ કોમ્‍યુનિકેશન માટે વિવિધ નાગરિક સંરક્ષણ કેટેગરાઇઝડ ટાઉનોમાં એચ.એફ. અને વી.એચ.એફ. વાયરલેસ સેટો ગોઠવવામાં આવેલા છે. જેમાં એચ.એફ. વાયરલેસ સેટ દ્વારા રાજ્યનાં તમામ નાગરિક સંરક્ષણ મથકોને વડી કચેરી અમદાવાદ ખાતે વાયરલેસ સંદેશા વ્‍યવહારથી સાંકળવામાં આવેલાં છે. જ્યારે અમદાવાદ, કચ્‍છ-ભૂજ, જામનગર, વડોદરા,ભરૂચ,સુરત, ગાંધીનગર, ભાવનગર, ઓખા , વાડીનાર , ગાંધીધામ, નલિયા, કાકરાપાર, અંકલેશ્‍વર નાં મથકોને સ્‍થાનિક એરફોર્સ સ્‍ટેશનો સાથે વી.એચ.એફ.વાયરલેસ સંદેશ પદ્ધતિથી સાંકળવામાં આવેલાં છે.

શાંતિના સમયમાં પ્રજાને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવાનું કાર્ય નાગરિક સંરક્ષણ તંત્ર માટે ખૂબ જ અગત્‍યનું છે. જે માટે સિવિલ ડિફેન્‍સ કેટેગરાઇઝ ટાઉનના ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર જે તે ટાઉનના નાગરિક સંરક્ષણ પેપર પ્‍લાન અનુસાર નક્કી કરેલા સિવિલ ડિફેન્‍સના સ્‍વયંસેવકો લક્ષ્‍યાંક મુજબ તૈયાર કરવામાં આવે છે. અને બેઝીક તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ખાસ તાલીમ માટે નાગરિક સંરક્ષણ સ્‍વયંસેવકોને નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ ખાતે ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તેમ જ નાગરિક સંરક્ષણ સંબંધી અગત્‍યના કોર્સ માટે રાજ્ય બહાર આવેલી નેશનલ સિવિલ ડિફેન્‍સ કોલેજ (NCDT)-નાગપુર, મિલિટરી એન્જિનિયરિંગ કોલેજ-પુના તથા સેન્‍ટ્રલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યુટ (સી.ટી.આઇ.)-બેંગ‍લોર ખાતે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ, અર્થક્વેક ડિઝાઇસ્‍ટર રિસ્‍પોન્‍સ, અને પ્રીપેઇર્ડનેસ મેનેજમેન્‍ટ, એડ્વાન્‍સ સર્ચ અને રેસ્‍ક્યુ કોર્સ વગેરે જેવા અગત્‍યના કોર્સની તાલીમ માટે મોકલવામાં આવે છે.

જનરલ પ્રિન્સિપલ ઓફ સિવિલ ડિફેન્સ, (GPCD)માંની કુલ ૨૭ સેવાઓ પૈકી નાગરિક સંરક્ષણ સંબંધિત ૧૨ સેવાઓને ઓથોરાઇઝડ અને અનઓથોરાઇઝડ નાગરિક સંરક્ષણ સેવાઓમાં વિભાજિત કરવામાં આવેલી છે. જેમાં અનઓથોરાઇઝડ સેવાઓની કામગીરી હોમગાર્ડઝ દ્વારા ‍બજાવવામાં આવે છે. સને ૧૯૬૨માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકારે અન્ય દેશો અનુસાર ભારત દેશમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર સને ૧૯૬૩ થી શરૂ કરેલ છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ યુધ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પણ પ્રજાજનોને બચાવવા તથા ઔદ્યોગીક ઉત્‍પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલ છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત (અકુદરતી) આફતો જેવી કે, કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્‍માત વિગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ્ પદાધિકારી/સ્‍વયંસેવકો ખડે પગે હાજર રહી પ્રજાની સેવાકિય ફરજ બજાવે છે.

Address

First Floor Block No. 2 Drive Jivrajbhai Mehta Bhavan Old Secretariat
Gandhinagar
382010

General information

ગુજરાત સ૨કા૨ દ્વારા નાગરિક સંરક્ષણ તંત્રને આધુનિક બનાવવા કેટલાક વિશિષ્ટ ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અધિકારી/માનદ પદાધિકારી તથા કર્મચારીઓને ખાસ પ્રકા૨ની તાલીમ માટે Advance Specialized Trainingમાં આવરી લીધા છે. નિયામક નાગરિક સંરક્ષણ ગુજરાત રાજ્યની નવી બિલ્ડીંગ ‘‘હોમગાર્ડઝ ભવન’’નું તા.૦૧/૦૫/૨૦૧૭ ગુજરાત ગૌરવ દિવસે ભવ્ય કાર્યક્રમ કરી માન.મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગરિક સંરક્ષણની બારસેવામાં ૨૧,૬૭૪ જેટલા સ્વયંસેવકોને નિમણૂંક આપવામાં આવેલ છે. નાગરિક સંરક્ષણ દળમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે જેમ હોમગાર્ડઝ સભ્યોને માનદ ભથ્થુ રૂપિયા ૩૦૦/- મળે છે, તે ધોરણે નાગરિક સંરક્ષણના સ્વયંસેવકોને માનદ ભથ્થુ આપવામાં આવે તે અંગેની દરખાસ્ત ગૃહ વિભાગને મોકલાવેલ છે. આ ઉપરાંત રાજ્ય બહા૨ નાગરિક સંરક્ષણના ચાલતા વિવિધ કોર્સમાં તાલીમ માટે નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ, નાગપુ૨ મિલિટરી એન્જિનિયરિંગ કોલેજ પુના અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ બેંગલો૨ ખાતે જુદા જુદા પ્રકારના તાલીમ કોર્સમાં સ૨કારી, અર્ધસ૨કારી તેમ જ ઔદ્યોગિક એકમોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાગરિક સંરક્ષણ માનદ પદાધિકારીઓને તાલીમમાં મોકલવામાં આવેલ છે

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Products

નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિઓમાં મુખ્‍યત્‍વે પ્રજાને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવી, સેવાવારની નિમણૂકો આપી સ્‍વયંસેવકોની ભરતી કરી નાગરિક સંરક્ષણ દળ બનાવવાની પ્રવૃત્તિઓ છે.

શાંતિના સમયની પ્રવૃત્તિ

યુદ્ધ સમયની પ્રવૃત્તિઓ

યુદ્ધ બાદની પ્રવૃત્તિઓ

યુદ્ધ બાદ નાગરિક સંરક્ષણ તંત્રની જવાબદારી વિશેષ રહે છે. સમગ્ર તંત્ર, જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, કલેક્ટર, એવમ્ નિયંત્રકની સીધી દેખરેખ હેઠળ અને માર્ગદર્શક હેઠળ કામ કરે છે. અને કાયદો-વ્‍યવસ્‍થા જાળવી, કોઇ પણ પ્રકારના યુદ્ધના સમયે જાનહાનીને, માલહાનિ થઈ હોય તો ટુકડીઓ બનાવી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવે છે અને કીમતી માલસામાનને કોર્ડન કરી નુકસાનનો અંદાજ કાઢવામાં આવે છે. વેલ્‍ફેર સેવા, સાલ્‍વેજ સેવા, મડદા નિકાલ સેવા, કેઝ્યુલિટી સેવા સક્રિય થઈ લોકોને રાહતસામગ્રી તથા વધુ નુકસાન ન થાય તેનાં પગલાં લઈ જીવનજરૂરિયાતની આવશ્‍યક ચીજવસ્‍તુઓ પૂરી પાડે છે. અને સંદેશવ્‍યવહાર પૂર્વવત્ કરવા તથા ગટરલાઇન, પાણીલાઇન, વીજળી પુરવઠો પુર્વવત્ કરવાની કામગીરી કરવામાં આવે છે. તૂટી ગયેલા મકાનમાંથી જો કોઈ કેઝ્યુલિટી થઈ હોય તેને બચાવની કામગીરી કરવામાં આવે છે. અને આવા મકાનનો તાત્‍કાલિક વીજળી પુરવઠો બંધ કરવા વોર્ડન ફરજ બજાવે છે. યુદ્ધ બાદ કેઝ્યુલિટી થઈ હોય, લોકો બેઘર થયા હોય તેવી વ્યક્તિઓને તાત્‍કાલિક નજીકની રાહત છાવણીમાં ખસેડવામાં આવે છે. અને રોગચાળો ન ફાટે, ગંદકી ન ફેલાય તથા અફવા ન ફેલાય તે માટે વોર્ડન સેવાના સેક્ટર વોર્ડન ડોર-ટુ-ડોર સંપર્ક કરી પુર્વવત પરિસ્થિતિનું નિર્માણ કરે છે.

Alerts

Be the first to know and let us send you an email when Civil Defence Gandhinagar Unit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Civil Defence Gandhinagar Unit:

Share