30/06/2026
🪷 કાર્યકર્તા સંમેલન 🪷
ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય 'શ્રી ભાવ કમલમ્' ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે શ્રી અમોહ શાહ અને શ્રી બ્રિજરાજસિંહ ઝાલા એ જનસંઘના પ્રણેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન, રાષ્ટ્રપ્રત્યેના તેમના અદ્વિતીય યોગદાન, બલિદાન અને રાષ્ટ્રવાદી વિચારધારા વિષય પર અત્યંત પ્રેરણાદાયી અને માર્ગદર્શક ઉદ્બોધન આપ્યું. તેમના વિચારો કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યે વધુ સમર્પણ અને રાષ્ટ્રસેવાની નવી ઊર્જા પ્રેરિત કરનાર રહ્યા.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રદાન કર્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુજાનસિંહ ગોહિલ, જિલ્લા મહામંત્રી શ્રી ગોપાલભાઈ વાઘેલા, શ્રી વી.ડી. સોરઠીયા, શ્રી ગેમાભાઈ આહીર, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિત જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મોરચા-પ્રકોષ્ઠોના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા.
રાષ્ટ્રપ્રથમની ભાવના, સંગઠનની શક્તિ અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શોને આત્મસાત્ કરીને સૌ કાર્યકર્તાઓએ રાષ્ટ્રસેવા અને સંગઠન કાર્યને વધુ ગતિશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
🪷 ભારતીય જનતા પાર્ટી – ભાવનગર જિલ્લા