scmjamnagar

scmjamnagar BJP SC Morcha – Jamnagar District
સેવા • સમર્પણ • સંગઠન
Nation First

Caption🦚 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.ભગવાન શ્રીકૃષ્ણ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકાર...
04/09/2026

Caption

🦚 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન શ્રીકૃષ્ણ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા લાવે તેવી પ્રાર્થના.

SCM Jamnagar District

#જન્માષ્ટમી #કૃષ્ણજન્માષ્ટમી

🪷 ખેરડી, કાલાવડ તાલુકો 🪷સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે“સમરસતા સંકલ્પ અભિયાન” અંતર...
20/08/2026

🪷 ખેરડી, કાલાવડ તાલુકો 🪷
સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે
“સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત ખેરડી ગામે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ પાવન કળશ યાત્રાનો પ્રારંભ આંકલિયા હનુમાનજી મંદિરથી થઈ રામેશ્વર મહાદેવ મંદિર સુધી કરવામાં આવ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન ગ્રામજનો તથા કાર્યકર્તાઓમાં ભક્તિભાવ, સામાજિક એકતા અને સમરસતાનો સુંદર માહોલ જોવા મળ્યો.
આ પ્રસંગે જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી તરૂણભાઈ ચૌહાણ, કાલાવડ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અંબાલાલસિંહ જાડેજા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી સંગ્રામ બાંભવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સેજલબેન રમેશભાઈ બથવાર, ઉપપ્રમુખ શ્રી હરપાલસિંહ જાડેજા, ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઈ જેસડિયા, ઉપસરપંચ શ્રી રાજભા જાડેજા, જિલ્લા યુવા મોરચાના મીડિયા સંયોજક શ્રી ચિરાગ જોષી સહિત ભાજપના આગેવાનો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંત ગુરુ રવિદાસજી મહારાજનો સંદેશ સમાનતા, સૌહાર્દ, ભાઈચારો અને સામાજિક સમરસતાનો સંદેશ છે. તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે યોજાયેલી આ કળશ યાત્રા એકતા અને સમરસતાનો સુંદર સંદેશ આપી ગઈ.
“મન ચંગા તો કઠૌતીમાં ગંગા” 🙏
સંત ગુરુ રવિદાસજી મહારાજના વિચારોને જીવનમાં ઉતારીને સમરસ અને સશક્ત સમાજના નિર્માણનો સંકલ્પ કરીએ.

🪷 કાલાવડ શહેર | સમરસતા સંકલ્પ અભિયાન 🪷સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ભારતીય જનતા ...
19/08/2026

🪷 કાલાવડ શહેર | સમરસતા સંકલ્પ અભિયાન 🪷
સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત કાલાવડ શહેરના વોર્ડ નં. ૨ ખાતે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
પવિત્ર શ્રી રામદેવજી મહારાજ મંદિરથી પ્રસ્થાન થયેલી કળશ યાત્રા કાલાવડ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ લીમડા ચોક ખાતે આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે પૂર્ણ થઈ.
કળશ યાત્રા દરમિયાન સંત ગુરુ રવિદાસજી મહારાજના સામાજિક સમરસતા, સમાનતા અને ભાઈચારાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો.
આ પાવન અવસરે જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી તરૂણભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી હસુભાઈ વોરા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ સંગઠનના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કળશ યાત્રાને સફળ બનાવી.
“સંત ગુરુ રવિદાસજીનો સંદેશ — સમરસ સમાજનો સંકલ્પ.” 🪷
🙏 સમરસતા • સૌહાર્દ • સમાનતા • એકતા 🙏

🌺 સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે 🌺🪷 “સમરસતા સંકલ્પ અભિયાન - કળશ વિતરણ કાર્યક્રમ જ...
19/08/2026

🌺 સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે 🌺

🪷 “સમરસતા સંકલ્પ અભિયાન - કળશ વિતરણ કાર્યક્રમ જામનગર જિલ્લો” 🪷

સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર સંકલ્પ સાથે ધ્રોલ શ્રી સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો.
આ પાવન અવસરે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિનોદભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ તરફથી વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ સંત રવિદાસજીના જીવન, વિચારો અને સામાજિક સમરસતાના સંદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય નરસિંહદાસજી મહારાજના આશીર્વચનથી સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર બન્યો.
સંત રવિદાસજી મહારાજે માનવમાત્રમાં સમાનતા, ભાઈચારો અને નિષ્કપટ ભક્તિનો સંદેશ આપતાં કહ્યું હતું—
“ऐसा चाहूँ राज मैं, जहाँ मिले सबन को अन्न।
छोट-बड़ो सब सम बसै, रैदास रहे प्रसन्न॥”
અર્થાત્ — એવા સમાજની સ્થાપના થાય જ્યાં સૌને અન્ન મળે, કોઈ નાનું-મોટું ન રહે અને સૌ સમાનતા તથા સુખ-શાંતિથી જીવન જીવે.
કાશીની પવિત્ર ધરતી પરથી પ્રસ્થાન કરેલા આ કળશો માત્ર પવિત્ર માટીના પ્રતીક નથી, પરંતુ સામાજિક એકતા, સમરસતા, સૌહાર્દ અને સમાનતાના સંકલ્પના પ્રતીક છે. ગામે-ગામ અને ઘર-ઘર સુધી આ પવિત્ર સંદેશ પહોંચાડવાનો આ અભિયાન સમાજમાં એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ધ્રોલ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પવિત્ર અભિયાનમાં સહભાગી બન્યા હતા.
🙏 સંત રવિદાસજી મહારાજના સમાનતા, સેવા અને સમરસતાના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરીએ.
“સમરસ સમાજ – સશક્ત સમાજ”
“એકતા • સમાનતા • સમરસતા” 🪷
#સમરસતા_સંકલ્પ_અભિયાન
#સંત_રવિદાસજી_મહારાજ
#650મી_જન્મજયંતી
#સમરસતા
#સામાજિક_એકતા
#સમાનતા
#ભાજપ_ગુજરાત

આજરોજ જામનગર જિલ્લા અ.જા.જાતિ મોરચાના પ્રમુખ શ્રી તરુણભાઈ ચૌહાણ અને જિલ્લા કારોબારી સભ્ય શ્રી ચેતનભાઈ વઘેરા એ જામનગર જિલ...
19/08/2026

આજરોજ જામનગર જિલ્લા અ.જા.જાતિ મોરચાના પ્રમુખ શ્રી તરુણભાઈ ચૌહાણ અને જિલ્લા કારોબારી સભ્ય શ્રી ચેતનભાઈ વઘેરા એ જામનગર જિલ્લા અ.જા. મોરચાના મહામંત્રી શ્રી એમ.ડી. મકવાણા જી ના ઘરે બપોરનું ભોજન કર્યું હતું.
મહામંત્રીશ્રી દ્વારા પ્રમુખશ્રી નું ખેસ અને ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગો લગાવવામાં આવ્યો હતો.

શ્રદ્ધાંજલિદેશના પૂર્વ વડાપ્રધાન, ભારતીય રાજનીતિના યુગપુરુષ અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને પુણ્યતિથિ નિમિત્તે...
16/08/2026

શ્રદ્ધાંજલિ

દેશના પૂર્વ વડાપ્રધાન, ભારતીય રાજનીતિના યુગપુરુષ અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન.

તેમના રાષ્ટ્રપ્રેમ, વિચારો અને અવિસ્મરણીય યોગદાનને સદાય યાદ કરવામાં આવશે.

— SCM JAMNAGAR

🇮🇳 ૮૦મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે દેશની આન, બાન અને શાન એવા તિરંગાને નમન.રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકાસના સંકલ્પ...
15/08/2026

🇮🇳 ૮૦મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે દેશની આન, બાન અને શાન એવા તિરંગાને નમન.

રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકાસના સંકલ્પ સાથે નવા ભારતના નિર્માણમાં સૌ પોતાનું યોગદાન આપીએ.

🇮🇳 સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳

વંદે માતરમ્! જય હિંદ!

#સ્વાતંત્ર્યદિવસ #તિરંગો #જયહિંદ #વંદેમાતરમ્

સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી રવિદાસ મહારાજની પાવન જન્મભૂમિ કાશીની પવિત્ર માટી સાથે ગુજરાત પધારેલી 'ભવ્ય કળશ ...
04/08/2026

સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી રવિદાસ મહારાજની પાવન જન્મભૂમિ કાશીની પવિત્ર માટી સાથે ગુજરાત પધારેલી 'ભવ્ય કળશ યાત્રા'નું ગાંધીનગર જિલ્લાના કલોલ, ધમાસણા, સરઢવ અને રૂપાલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકોએ કળશ પૂજન કરી દર્શનનો લહાવો લીધો.



સમરસતા સંકલ્પ અભિયાનસંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે આયોજિત 'ભવ્ય કળશ યાત્રા'નું આજે ગુજરા...
01/08/2026

સમરસતા સંકલ્પ અભિયાન

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે આયોજિત 'ભવ્ય કળશ યાત્રા'નું આજે ગુજરાતની પવિત્ર ધરતી પર છાપરી (અંબાજી) ખાતેથી આગમન થયું.

સંત શ્રી ગુરુ રવિદાસજીની જન્મભૂમિ કાશીની પવિત્ર માટીથી સુશોભિત કળશનું જગતજનની મા અંબાના પવિત્ર સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું.

સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક 'કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત કરી સંત શ્રી ગુરુ રવિદાસજીના સમરસતા, સમાનતા અને માનવસેવાના દિવ્ય સંદેશને આત્મસાત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.


સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)'...
31/07/2026

સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ 'અંબાજીથી જગન્નાથ મંદિર(અમદાવાદ)' સુધી યોજાશે ભવ્ય કળશ યાત્રા.

📍શુભારંભ
તારીખ: 1 ઓગસ્ટ, 2026 - શનિવાર
સમય: સવારે 8:30 કલાકે
સ્થળ: ગબ્બર ચોક, અંબાજી

Address

Jamnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when scmjamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share