29/06/2026
📚 શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે શાળાના શિક્ષકો, વાલીઓ અને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી શાળાના વિવિધ પ્રશ્નોની જાણકારી મેળવી. ખાસ કરીને શિક્ષકોની લાંબા સમયથી ચાલતી ઘટ અંગે ગંભીરતા દર્શાવી, આ પ્રશ્નના વહેલી તકે નિરાકરણ માટે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મારો દૃઢ વિશ્વાસ છે કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પૂરતા શિક્ષકો મળવા જોઈએ. બાળકોના હિત માટે સતત પ્રયત્નશીલ રહીશ.
શિક્ષણ એ જ સમાજના વિકાસનો મજબૂત પાયો છે.