Vijay Barot BJP

Vijay Barot BJP કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી ✌🏻

“સમરસતા સંકલ્પ અભિયાન”સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહેસ...
20/08/2026

“સમરસતા સંકલ્પ અભિયાન”

સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહેસાણા તાલુકાના જમનાપુર ગામ ખાતે રવિદાસ મહારાજની જન્મભૂમિ પ્રવિત્ર કાશીથી કળશ દ્વારા લાવેલી માટીની પૂજા અર્ચના કરીને સ્વાગત કરવામાં આવ્યું..

"સમરસતા સંકલ્પ અભિયાન"સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવા...
20/08/2026

"સમરસતા સંકલ્પ અભિયાન"

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલસાહેબની ઉપસ્થિતિમાં મહેસાણા તાલુકાના મેઉ અને આખજ ગામ ખાતે રવિદાસ મહારાજની જન્મભૂમિ પ્રવિત્ર કાશીથી કળશ દ્વારા લાવેલી માટીની પૂજા અર્ચના કરીને સ્વાગત કરવામાં આવ્યું..

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાનો કળશ વિતરણ ...
17/08/2026

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાનો કળશ વિતરણ સમારંભ કાર્યક્રમ નાગલપુર ખાતે આવેલ નીલકંઠ મહાદેવના મંદિરે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહીને ગુરુજીના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો હતો..

🕯️વંદે માતરમ્ માત્ર ગીત નથી,એ ભારત માતાની અસ્મિતા અને શહીદોના બલિદાનની ગુંજ છે.!તાજેતરમાં ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ...
16/08/2026

🕯️વંદે માતરમ્ માત્ર ગીત નથી,
એ ભારત માતાની અસ્મિતા અને શહીદોના બલિદાનની ગુંજ છે.!

તાજેતરમાં ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા ધ્વજ વંદન કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી અને સોનિયાજી દ્વારા વંદે માતરમ્ ના સંપૂર્ણ ગાન પ્રત્યે થયેલા અપમાનજનક વલણ બદલ મહેસાણા શ્રી જિલ્લા કમલમ કાર્યાલયથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ દ્વારા યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર જિલ્લા અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ રાજગોરજી લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ મહામંત્રી શ્રી ભગાજી ઠાકોર કમલભાઈ પટેલ શુભમભાઈ શાહ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તા મિત્રો તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ જોડાયા હતાં..

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી પર સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રા મહેસાણા નીલકંઠ મહાદેવ મંદિર...
16/08/2026

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી પર સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રા મહેસાણા નીલકંઠ મહાદેવ મંદિર નાગલપુર ખાતે પધારી હતી.

ત્યારે મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર જિલ્લા અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ રાજગોરજી જિલ્લા મહામંત્રી શ્રી ભગાજી ઠાકોર કમલભાઈ પટેલ શુભમભાઈ શાહ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ચાવડા તથા સંગઠનના સૌ પદાધિકારીઓ દ્વારા ઉત્સાહપૂર્વક કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું..

भारत के पूर्व प्रधानमंत्री, भारतीय राजनीति के अजातशत्रु, ओजस्वी वक्ता एवं संवेदनशील कवि श्रद्धेय श्री अटल बिहारी वाजपेयी...
16/08/2026

भारत के पूर्व प्रधानमंत्री, भारतीय राजनीति के अजातशत्रु, ओजस्वी वक्ता एवं संवेदनशील कवि श्रद्धेय श्री अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर उन्हें शत्-शत् नमन।

अटल जी आज हमारे बीच नहीं हैं,
लेकिन उनके विचार, उनकी वाणी और राष्ट्र के प्रति उनकी प्रतिबद्धता आज भी करोड़ों भारतीयों के हृदय में जीवित है।

उन्होंने सत्ता को साध्य नहीं, राष्ट्रसेवा को अपना धर्म माना।
उनकी आवाज़ खामोश हुई है, लेकिन उनके शब्द आज भी कार्यकर्ताओं को राह दिखाते हैं।

“अटल” नाम केवल एक व्यक्तित्व नहीं,
बल्कि विचारों की दृढ़ता, संस्कारों की सरलता और राष्ट्रभक्ति की अमर पहचान है।

🇮🇳 राष्ट्र उन्हें सदैव याद रखेगा।

ધ્વજ વંદન એક ક્ષણ નહીં,અનંત ગૌરવની અનુભૂતિ..!૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો ક...
15/08/2026

ધ્વજ વંદન એક ક્ષણ નહીં,
અનંત ગૌરવની અનુભૂતિ..!

૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે ધી યુનિયન હાઈસ્કૂલ ખાતે મામલતદાર શ્રી (ગ્રામ્ય) ગૌતમભાઈ વાણીયાજી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલસાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી..

🇮🇳 ગૌરવ અને ગર્વનો પર્વ 🇮🇳ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.! આ પાવન દિવસે આપણા બંધારણના મૂલ્યો, લોકશાહીની...
15/08/2026

🇮🇳 ગૌરવ અને ગર્વનો પર્વ 🇮🇳

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.!

આ પાવન દિવસે આપણા બંધારણના મૂલ્યો, લોકશાહીની શક્તિ અને રાષ્ટ્રની એકતાને નમન કરીએ.

માતૃભૂમિની અખંડતા અને અવિરત પ્રગતિ માટે સૌ સાથે મળીને આગળ વધીએ..

જય હિંદ! 🇮🇳
વંદે માતરમ્! 🇮🇳

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આજરોજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાર્વજનિક વિદ્યાલય ખાતે કમળાબા હોલમાં પ્રદ...
14/08/2026

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આજરોજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાર્વજનિક વિદ્યાલય ખાતે કમળાબા હોલમાં પ્રદેશમાંથી મુખ્ય વક્તા તરીકે આવેલ હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા ખૂબ જ ભાવનાત્મક વક્તવ્ય દ્વારા ૧૯૪૭ના ભારતના વિભાજનની કરુણ ગાથા અને એ સમયની પરિસ્થિતિને ઉજાગર કરી હતી.

આ દિવસ માત્ર ઈતિહાસને યાદ કરવાનો દિવસ નથી આ દિવસે લાખો નિર્દોષ ભારતીયોની વેદના, વિસ્થાપન અને બલિદાનને નમન કરવાનો દિવસ, જેમણે દેશના વિભાજનની ભયાનક વિભીષિકા સહન કરી.

તેમની આંખોના આંસુઓ અને હૃદયની પીડા આપણને એક જ સંદેશ આપે છે દેશની એકતા, અખંડિતતા આપણી સૌથી મોટી શક્તિ છે.

કેટલીક તારીખો કેલેન્ડરમાં નથી રહેતી એ ઈતિહાસ બનીને હૃદયમાં જીવતી રહે છે ૧૪ ઓગસ્ટ - એ દિવસ જ્યારે એક રેખાએ માત્ર દેશને નહીં પરંતુ લાખો પરિવારોના ઘર, સંબંધો અને સપનાઓને પણ વિખેરી નાખ્યા હતા.

કોઈએ ઘર ગુમાવ્યું કોઈએ પરિવાર કોઈએ પોતાની માટી ગુમાવી તો કોઈએ આખી જિંદગીની યાદો પાછળ છોડી દીધી.

જેમની વેદનાએ આપણને એકતા અને અખંડિત ભારતનું મૂલ્ય સમજાવ્યું.

વિભાજનની વિભીષિકામાં જીવન ગુમાવનાર અને સહન કરનાર તમામને શત-શત નમન..

Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijay Barot BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share