23/06/2026
નવી દિલ્હી ખાતે "અખિલ ભારતીય કોળી સમાજ’નું ભવ્ય અધિવેશન સંપન્ન: પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, દીલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
- સંગઠન, શિક્ષણ અને યુવા સશક્તિકરણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પર અપાયો ભાર
- ચૂંટણી જીત્યા બાદ સમાજથી અંતર રાખનારા નેતાઓ સામે જાગૃત બની, સમાજહિતને સર્વોપરી માનતા નેતૃત્વને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ
નવી દિલ્હી: તારીખ:૨૧/૦૬/૨૦૨૬ ના રોજ દેશની રાજધાની નવી દિલ્હી ખાતે ‘ અખિલ ભારતીય કોળી સમાજ’ના રાષ્ટ્રીય અધિવેશન નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી અધિવેશન નાં સફળ આયોજક રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાહેબ, કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા, અજીતભાઈ પટેલ, સત્યનારાયણ પવાર, સાંસદ ગેનીબેન ઠાકોર, સાંસદ ઉમેશભાઈ પટેલ, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ- ધારાસભ્ય કનુભાઈ પટેલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિવ્યેશ ચાવડા, પૂર્વ ધારાસભ્યો પુંજાભાઈ વંશ, પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ સહિત દેશભરના સામાજિક આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગુજરાત સહિત સમગ્ર દેશનાં યુવા સાથીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના ઉત્કર્ષ અને ભવિષ્યની રૂપરેખા અંગે વિસ્તૃત વિચારવિમર્શ કર્યો હતો.
અધિવેશન દરમિયાન મુખ્યત્વે સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા, શિક્ષણનો વ્યાપ વધારવા, યુવાનોને સશક્ત કરવા તેમજ સામાજિક એકતાના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં કોળી સમાજના યોગદાનને વધુ અસરકારક બનાવવા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરી ઉપસ્થિત યુવાનોને દેશ અને સમાજના પ્રગતિ માટે નવી દિશા અને ઊર્જા પૂરી પાડી હતી.
🚩 રાજકીય જાગૃતતા અને જવાબદાર નેતૃત્વ પર ભાર:
આ અધિવેશનમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દા પર પણ વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે સમાજના નામે મતો મેળવીને અને સમાજના સમર્થનથી (આધારથી) ચૂંટાઈ આવતા કેટલાક નેતાઓ વિજય મેળવ્યા બાદ સમાજથી દૂર થઈ જતા હોય છે. આવા તત્વો સામે સમાજે જાગૃત થવાની જરૂર છે. વર્તમાન સમયમાં સમાજહિતને હંમેશા સર્વોપરી માનનાર અને સમાજની વચ્ચે રહીને સતત કાર્યરત રહે તેવા સનિષ્ઠ અને જવાબદાર નેતૃત્વની અનિવાર્યતા પર મંચ પરથી ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ભવ્ય અને સફળ રાષ્ટ્રીય અધિવેશન માં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને સમાજ નું ગૌરવ વધારવા બદલ અખિલ ભારતીય કોળી સમાજના તમામ હોદ્દેદારો અને આયોજક મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ અગ્રણીઓએ આગામી સમયમાં સમાજના ઉત્કર્ષ અને રાષ્ટ્રહિત માટે સૌ સંગઠિત થઈને સતત કાર્યરત રહે તેવો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
#રાષ્ટ્રીય_કોળી_સમાજ #કોળી_સમાજ #સામાજિક_એકતા
#દિલ્હી_અધિવેશન #સંગઠન_શક્તિ