
15/07/2025
તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.
__________________________________
ગમે એવો પાષણા હ્રદયનો માનવી હોય જેમણે પણ આ વિડીઓ જોયો એ માણસ અવશ્ય રડ્યો હશે.
એ બાપ પોતાની એક્ટીવા કે એવી ગાડી લઈને દીકરીને એ ગાડીમાં લઈને નિકળ્યાં હશે ત્યારે દીકરી કેટલી ખુશ હશે.
ધીરે ધીરે પિતા કેનાલ પાસે આવ્યાં હશે અને દીકરીનાં માથા ઉપર હાથ ફેરવીને કીધૂ હશે કે.. "બેટા! તું અહીં દુર ઉભી રહે હું હમણા જ તારા વ્રતનાં જ્વારા પાણીમાં પધરાવી દઉ.
દીકરી ઉભી ઉભી પોતાનાં પિતાને જોતી હશે અને પિતા પાણી પાસે જઈને જેવા જ્વારા પધરાવવા ગયા હશે અને પગ લપસતાં અંદર પડ્યાં હશે ત્યારે એ દીકરીની વેદના શી હશે? સામે એકક્ષણ માટે દીકરીનાં બાપની શી પીડા હશે?
વિચારી ન શકાય, વિચારમાત્ર આપણે રડાવી દે. ચાર-પાંચ વર્ષની દીકરી એટલે એ તો ઈશ્વરનો અંશ કહેવાય. નિર્દોષ, નિખાલસ અને કોમળ મનની દીકરીની આ પીડાએ ભલભલાને રડાવી દીધા. ઈશ્વરને એટલી વિનંતિ કે, આ દીકરીને સદાય સુખી રાખજો. ક્યારેય એના આંખમાં આંસુ નહિ આવવા દેતા અને એમનાં પિતાનાં આત્માને શાંતિ આપશો. - B.n Bhai
🙏🏻 જય દ્વારકાધીશ
ઉપરની બે લાઈન કોઈ કવિ દ્વારા લખાયેલ છે.