24/04/2024
પ્રિય મતદારો.... શું તમે જાણો છો કે આપણાં દેશની ઈલેક્શન પદ્ધતિ શું કહે છે...? જાતી, ધર્મ, ભાષા, લોભ, લાલચ, ભય કે કોઈપણ પ્રકારનાં પક્ષપાત વગર વોટ આપવો જોઈએ.. તો શું આપણે આ વાત માનીએ છીએ....? આ વાતનો જવાબ વ્હાલા મતદાર તમે ઈમાનદારી થી આપશો પ્લીઝ...?
1.
નેતાઓ જાતી - ધર્મ નો ઉપયોગ કરીને લાગણીઓ ભડકાવે છે.. તેથી વોટ આપનારા જાતી કે ધર્મ નાં નામે વોટ આપે, અને તેથી તે નેતા જીતી જાય છે..
2.
નેતાઓ ચૂંટણી જીતવા માટે કેટલીયે વસ્તુ ફ્રી માં આપવાની વાત કરે છે તો આને લોભ કે લાલચ ના કહેવાય, લાલચ આપીને નેતા જીતી ને પાંચ વર્ષ રાજ કરે છે
3.
જો ફલાણા -ફલાણા નેતા કે પક્ષ જીતશે તો આવું - આવું થશે અથવા તો જો આ હારી જશે તો આવું આવું થશે...આને જ ભય કે પક્ષપાત કહેવાય..
મિત્રો...તમારા દિલ પર હાથ રાખીને જવાબ આપજો કે શું તમારી સાથે પણ આવું જ બને છે...?
આના માટે આપણે શું કરવું જોઈએ...?
અમારી લોગ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયશંકર પાંડે સાહેબ IAS હતા, અને ભારત સરકાર મા સચિવ રહેલા, એમનું માનવું છે કે જાતી, ધર્મ, ભાષા, લોભ, લાલચ, ભય કે પક્ષપાત વગર વોટ પડશે ત્યારે સાચા અર્થમાં લોકતંત્ર મજબૂત થયેલું કહેવાય...
હું અનિલકુમાર મુન્દ્રા -એડવોકેટ છું, અમારી લોગ પાર્ટી એ ઈમાનદાર રાજનીતિ ની એક પહેલ શરૂ કરી છે અને તમને પણ અમારી પાર્ટી સાથે જોડાવવા આમંત્રણ આપુ છું...તેનાં માટે - 05 - સાબરકાંઠા લોકસભા નો હું અનિલકુમાર મુન્દ્રા, લોગ પાર્ટી નો ઉમેદવાર છું, અમારે જાતી, ધર્મ, ભાષા ને નામે વોટ નથી લેવો, કોઈપણ પ્રકારની લોભ કે લાલચ તમને નહિ બતાવું, ભય કે પક્ષપાત વગર અમને વોટ આપો..હું દેશની દિશા અને દશા બદલવાનું વચન આપું છું.. આભાર..
તમારો કિમતી વોટ મને આપી અપાવીને વિજયી બનાવો..