05/09/2026
તા.5/9/2026 ના રોજ ઇન્દ્રપુરી વોર્ડના કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશ દ્વારા કચરાની ડોર ટુ ડોર ની ગાડીમાં ભૂલથી મોબાઈલ કચરા સાથે નાખી દેવામાં આવેલ હતો, તેમને ખબર પડતા તરત જ ઇન્દ્રપુરી વોર્ડના સુપિરિયર સ્ટાફને ફોન કરતા તેઓએ ડોર ટુ ડોરના સુપરવાઇઝર શ્રી રોહિતભાઈનો કોન્ટેક કરવામાં આવેલ, રોહિતભાઈ દ્વારા ડોર ટુ ડોરના ગાડીના ડ્રાઈવર શ્રી સુનિલભાઈ ડામોરનો કોન્ટેક્ટ કરતા કચરાની ગાડી માંથી મોબાઇલ શોધી સ્થાનિક રહીશ ને પરત કરવામાં આવેલ છે જે તેઓની સાચી ઈમાનદારી બતાવે છે. સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુબ ખુબ આભાર માનેલ છે.