30/07/2026
30/07/2026
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સ્વ. માધવસિંહ સોલંકીજીને જન્મજયંતિ નિમિત્તે સાદર નમન. 🌹
ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર સ્વ. માધવસિંહ સોલંકી સાહેબે રાજ્યના સામાજિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું.
તેમના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ મધ્યાહન ભોજન યોજના, કન્યા કેળવણીને પ્રોત્સાહન, બક્ષી પંચની ભલામણોના અમલ, GIDC દ્વારા ઔદ્યોગિક વિકાસ, નર્મદા યોજનાને ગતિ તેમજ ૧૯૮૫ની ઐતિહાસિક ચૂંટણીમાં કોંગ્રેસના વિજય જેવા અનેક નિર્ણયો ગુજરાતના વિકાસના પાયારૂપ બન્યા.
ગુજરાતના વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અને સાદર નમન.
લાખાભાઈ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય,
39 વિરમગામ વિધાનસભા
#માધવસિંહસોલંકી #ગુજરાત #ગુજરાતવિકાસ #લાખાભાઈભરવાડ