15/07/2024
આણંદના કૉમ્યુનિટી હોલ ખાતે ધી ચરોતર સુન્ની વહોરા મકેરીયા સમાજ દ્ધારા તા. 14-7-24 ને રવિવારના રોજ કારકિર્દી માર્ગદર્શન અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમારંભના પ્રમુખ તરીકે સુરત રેઈન્બો હોસ્પિટલના ડૉ. ફૈઝલભાઈ હાજી નુમહંમદભાઈ વહોરા તથા મુખ્ય વક્તા તરીકે ડી.વાય.એસ.પી. નિશાબેન વહોરા અને વિધાનગરના વી.પી. સાયન્સ કોલેજના પ્રોફસર સાજીદભાઈ શેખ હાજર રહ્યા હતા. આ સમારોહમાં ધો. 10, ધો. 12, B. Com, M.Com, M.Sc., B.B.A., B.C.A., Enginnering, Farmacy વગેરે ક્ષેત્રે પાસ થયેલ 114 વિદ્યાર્થીઓને ઇનામમાં ચાંદી ની મુદ્રા, વિઝા ફાઈલ, ફૂલ સ્કેપ ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યા. મકેરીયા સમાજ ના સેક્રેટરી સબ્બીરભાઈ રાસનોલવાળાએ સમાજનો પરિચય આપી પ્રોગ્રામની શરૂઆત કરી સાથે સાથે એજ્યુકેશન ચેરમેન ઉસ્માન ભાઈ ખંભાત વાળાએ તમામ વિધાર્થીઓને એજ્યુકેશન ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું અને વહોરા ફેઝાનનું કેનેડા પોલીસમાં સિલેક્શન થવા બદલ તેમના પિતા સાજીતભાઈ સારસાવાળાનું સન્માન કરવામાં આવ્યું. આ પોગ્રામ ના અંતમાં સમાજ ના પ્રમુખ ફારૂક ભાઈ અંજારવાળાએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ હાજી સિકન્દર ભાઈ કમળાવાળા/ફારૂકભાઈ વડોદરાવાળા /રજાકભાઈ સુરતવાળા, કન્વીનર સાજીત સારસાવાળા, ટ્રસ્ટી ઈરફાનભાઈ સિંહુજવાળા / અબ્દુલ કરીમ મંડપવાળા / ફારૂકભાઈ ગોધરા વાળા અને આવેલા તમામ મહેમાનો, દરેક કારોબારી સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો
https://youtu.be/LgIth6NRWrI
વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ - ૨૦૨૪તા-૧૪-૦૭-૨૦૨૪, રવિવારકોમુનિટી હૉલ - ૨, આણંદ