25/03/2023
-:: #ઉત્તરવાહિની_નર્મદા_પરિક્રમા ::-
તારીખ: 09/04/2022 ના રવિવાર ના દિવસની
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ(BJMS) તરફથી આયોજન કરવામાં આવ્યું છે :-
બસ ઉપડવાનો સમય : 08/04/2023 શનિવારે રાત્રે 10.00 વાગે.
બસ ઉપડવાનું સ્થળ: બંબાખાના, રામદેવ હોલ પાસે, ભરૂચ.
બસ ભાડું : ₹ 250/ (દશ વર્ષથી વધુ ઉંમરના દરેક માટે)
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા રામપુરા થી શરૂ થશે ત્યાંથી રેગણ, વાસન, કપિલેશ્વર, મણીનાગેશ્વર, તિલકવાડા,ગુવાર, માંગરોળ થી રામપુરા પરત થવાનું રહેશે.
રામપુરા થી બસમાં બંબાખાના, ભરૂચ પાછું ફળવાનું રહેશે.
પાછા આવતી વખતે રાજપીપળા, શ્રી હરસિદ્ધિ માતાજી ના મંદિરે દર્શન કરાવવામાં આવશે.
તારીખ: 06/04/2022 સુધીમાં નામ નોંધાવી દેવા વિનંતી છે.
જેથી કરીને પરિક્રમવાસી ની સંખ્યા પ્રમાણે બસની વ્યવસ્થા કરી શકાય.
નામ નોંધનાર વ્યક્તિના નામ અને મોબાઈલ નંબર :-
(1) પ્રવિણભાઇ શંકરભાઇ માછી :
99040 55835
(2) કમલેશ એસ. મઢીવાલા :
99243 52696
(3) નિલેશ ભીખાભાઈ માછી :
99240 18313
(4) સંજય અમરીતભાઈ માછી :
81604 38576
(5) પ્રજ્ઞેશ અશોકભાઈ માછી :
8347321498
નોંધ:- આ આયોજનનો હેતુ માત્ર ને માત્ર સેવાકીય છે.
-: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું મહાત્મ્ય :-
પૂર્ણ નર્મદા પરિક્રમા નથી કરી શકતા તે લોકો 21 કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમા કરે છેે.
ચૈત્રી સુદ એકમથી પાવન સલિલા મા નર્મદાજીની 'ઉત્તરવાહિની પરિક્રમા'નો પ્રારંભ થાય છે.
રાજપીપળા નજીક આવેલા રામપુરા ગામથી 'ઉત્તરવાહિની' પરિક્રમાનો પ્રારંભ થાય છે અને રામપુરા તરફના નર્મદા કાંઠે ૮ કિ.મી. પગપાળા પ્રવાસ કર્યા બાદ યાત્રીઓ હોળીમાં બેસીને સામે કાંઠે જાય છે અને સામે કિનારે પરત ૮ કિ.મી.નો પગપાળા પ્રવાસ કરે છે અને હોળીમાં સામે કિનારે રામપુરા પહોંચે છે જ્યા 21 કિ.મી.ની યાત્રાની પૂર્ણાહૂતી થાય છે.
આ યાત્રાને પૂર્ણ કરતા પાંચ થી છ કલાક લાગે છે.
આમ એક જ દિવસમાં 'ઉત્તરવાહિની પરિક્રમા' પૂર્ણ કરી શકાય છે.
આ પરિક્રમાં વર્ષમાં ચૈત્ર માસના ૩૦ દિવસ દરમિયાન જ થાય છે.
'ઉત્તરવાહિની પરિક્રમા' એટલા માટે કહેવામાં આવે છે કે નર્મદાજી માત્ર આ વિસ્તારમાં જ ઉત્તર તરફ વહે છે. હિંદુ શાસ્ત્ર મુજબ ઉત્તર દિશા મોક્ષની દિશા માટે નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા મોક્ષ પ્રદાન કરનારી છે. જે લોકો પૂર્ણ પરિક્રમા નથી કરી શકતા તે લોકો 'ઉત્તરવાહિની પરિક્રમા' કરીને પૂણ્યની પ્રાપ્તી કરી શકે છે. માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ચૈત્ર માસ દરમિયાન અહી આવે છે.
નર્મદે હર 🙏