Info Chhotaudepur GoG

Info Chhotaudepur GoG Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Info Chhotaudepur GoG, Government Organization, District inforamtion office, near sankalan hall, 2nd floor, jilla seva sadan, chhotaudepur, Chhota Udepur.
(1)

05/06/2026

૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ
-------------
છોટાઉદેપુરના વનાર ગામના શિક્ષકે ખેતરમાં ઉભું કર્યું ૨૦૦૦ વૃક્ષોનું મિની જંગલ
---------------
ગ્લોબલ વોર્મિંગ સામે જંગ છેડતા વિનોદભાઈ રાઠવા ૧૨ વર્ષની અવિરત સેવા દ્વારા પ્રકૃતિના સાચા રખેવાળ બન્યા

CMO GujaratGujarat InformationCollector ChhotaudepurSdm ChhotaudepurAcharya DevvratDrda Chhotaudepur

૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ------------- છોટાઉદેપુરના વનાર ગામના શિક્ષકે ખેતરમાં ઉભું કર્યું ૨૦૦૦ વૃક્ષોનું મિની જંગ...
05/06/2026

૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ
-------------
છોટાઉદેપુરના વનાર ગામના શિક્ષકે ખેતરમાં ઉભું કર્યું ૨૦૦૦ વૃક્ષોનું મિની જંગલ
---------------
ગ્લોબલ વોર્મિંગ સામે જંગ છેડતા વિનોદભાઈ રાઠવા ૧૨ વર્ષની અવિરત સેવા દ્વારા પ્રકૃતિના સાચા રખેવાળ બન્યા
-------------
વનારના પ્રકૃતિપ્રેમી વિનોદભાઈએ પોતાની જમીનમાં ઉછેર્યા વિવિધ જાતના વૃક્ષો
----------------
(આલેખન :- અભિષેક ગામીત)

વિશ્વ પર્યાવરણ દિવસ૨૦૨૬ની ઉજવણીની થીમ વિશ્વ સહિત દેશભરમાં “પ્રકૃતિથી પ્રેરિત, આબોહવા માટે, આપણા ભવિષ્ય માટે” “Inspired by Nature. For Climate. For Our Future.”) કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આવા સમયે છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના શિક્ષક વિનોદભાઈ રાઠવા પ્રકૃતિના જતનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિનોદભાઈ રાઠવાએ છેલ્લા ૧૨ વર્ષથી પર્યાવરણ બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે માત્ર વૃક્ષારોપણ જ નથી કર્યું પરંતુ ગુજરાત સરકારના છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગની સામાજિક વનીકરણ યોજનાના સહયોગથી વિવિધ પ્લાન્ટો મેળવી પરંપરાગત ખેતીની સાથે વૃક્ષ ઉછેરને પોતાના જીવનનો મુખ્ય ઉદ્દેશ બનાવ્યો છે.

વિનોદભાઈ તેમની યાત્રાનું વર્ણન કરતા જણાવે છે કે, ૧૨ વર્ષ પહેલા માતૃશાળા 'ગુનાટા' થી દર વર્ષે ૧૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. ૧૨ વર્ષ બાદ તેમનો સંકલ્પ એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યો છે. વૃક્ષો એ માત્ર ઓક્સિજનનો સ્ત્રોત નથી, પરંતુ ધરતી માતાના સાચા આભૂષણો છે અને પૃથ્વી પરના પ્રત્યેક જીવના અસ્તિત્વનો આધાર છે.

છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન વિનોદભાઈએ પોતાના ખેતરને એક મિની જંગલના રૂપમાં પરિવર્તિત કરી તેમના ફાર્મમાં ૨૦૦૦થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. આ મિની જંગલમાં આંબા, આમળા, જાંબુ અને જામફળ જેવા ફળદાઉ વૃક્ષો, સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાગના લાકડાના વૃક્ષોનું પણ જતન કર્યું છે. ઔષધીય ગુણો ધરાવતા કોલીયાર, નગોડ અને નીલગીરીના વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. જેમાં ઔષધીય વૃક્ષ કોલીયારના કુમળા પાનની ભાજી ખુબ ગુણકારી માનવામાં આવે છે.

પોતાના વ્યસ્ત શિક્ષણ કાર્યની સાથે સાથે પ્રકૃતિપ્રેમી વિનોદભાઈ વૃક્ષારોપણની સાથે તેની માવજત પણ ખુબ સારી રીતે કરે છે. નિયમિત રીતે વૃક્ષોને પાણી પાવું અને તેની જાળવણી કરવી એ તેમની દિનચર્યાનો એક અતૂટ ભાગ બની ગયો છે. તેમની આ મહેનતને કારણે જ તેમની જમીન ઘટાદાર હરિયાળીમાં ફેરવાઈ છે.

વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વિનોદભાઈ રાઠવાએ ખેડૂત મિત્રોને એક પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું કે, દરેક ખેડૂતે પોતાના ખેતરના શેઢા-પાળા પર સાગ અને આંબા જેવા કિંમતી વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આ પદ્ધતિથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે, એક તરફ વૃક્ષોના મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે અને ફળદ્રુપ માટીને સાચવી રાખે છે, બીજી તરફ લાંબા ગાળે વૃક્ષો ખેડૂતો માટે મજબૂત આર્થિક આધાર પણ પૂરો પાડે છે.

ગ્લોબલ વોર્મિંગના પડકારજનક સમયમાં વિનોદભાઈ જેવી વ્યક્તિઓ સમાજ માટે દિવાદાંડી સમાન છે. જો મક્કમ નિર્ધાર હોય તો પૃથ્વીને ફરીથી હરિયાળી બનાવી શકાય છે. તેમનો આ પ્રયાસ દરેક નાગરિકને પ્રકૃતિ સાથે જોડાવા અને આવનારી પેઢીને સુરક્ષિત પર્યાવરણ મળે તે દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

CMO GujaratGujarat InformationCollector ChhotaudepurSdm ChhotaudepurAcharya DevvratDrda ChhotaudepurJashubhai Rathva

05/06/2026
05/06/2026
05/06/2026

અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં પ્રથાઓ, જ્ઞાન, અભિવ્યક્તિઓ, વસ્તુઓ અને સ્થાનોનો સમાવેશ થાય છે જેને સમુદાયો તેમની સાંસ્કૃતિક ઓળખનો ભાગ માને છે. પેઢી દર પેઢી ચાલતો આ વારસો સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવે છે અને વિવિધતા પ્રત્યેની કદરને પ્રોત્સાહન આપે છે.

05/06/2026

તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ...

લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધે તે હેતુથી તા. 5મી જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે; આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા તેમજ તેને વધારવામાં વ્યક્તિઓ, સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનો આધાર પ્રદાન કરવાની તક પૂરી પાડે છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે...

05/06/2026

આજનો શબ્દ

04/06/2026

વસ્તી-ગણતરી 2027; ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા સાથે પૂર્વ ક્રિકેટર શ્રી કરસન ઘાવરીની શુભેચ્છા મુલાકાત...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતી શ્રી કરસન ઘાવરી વસ્તી-ગણતરી 2027 અંગે જન જાગૃતિ અભિયાનમાં જોડાયા...

અહીં ઉલ્લેખનીય છે કે શ્રી કરસન દેવજીભાઈ ઘાવરી ભારતના એક પ્રતિષ્ઠિત પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જેમનો જન્મ રાજકોટમાં થયો હતો. એક પ્રખ્યાત લેફ્ટ આર્મ-ફાસ્ટ બોલર અને લોઅર-ઓર્ડરમાં ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે તેમણે વર્ષ 1974થી 1981 દરમિયાન 39 ટેસ્ટ મેચ અને 19 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું...

વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારી વધારવા, પરસ્પર સહકારની ભાવના દ્રઢ કરવામાં શ્રી કરસન ઘાવરીનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી માધ્યમ બનશે : વસ્તી ગણતરી નિયામકશ્રી

Census Gujarat

Address

District Inforamtion Office, Near Sankalan Hall, 2nd Floor, Jilla Seva Sadan, Chhotaudepur
Chhota Udepur
391165

Alerts

Be the first to know and let us send you an email when Info Chhotaudepur GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Chhotaudepur GoG:

Share