29/10/2023
સફાઈ કામદાર સેલ ના નેતૃત્વમાં મહર્ષિ વાલ્મિકી જયંતિ મહોત્સવ કાર્યક્રમ ની સફળતા બદલ શુભેચ્છાઓ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ દ્વારા પ્રથમ વખત સફાઈ કામદાર સેલ ના નેતૃત્વમાં ધર્મ નગરી જૂનાગઢ માં આદિ કવિ મહર્ષિ વાલ્મિકી જયંતિ મહોત્સવ નું સુંદર અને ભવ્ય સફળતા પૂર્વકના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ તેમાં રેકર્ડ બ્રેક વિશાળ સંખ્યામાં સફાઈ કામદાર સેલ સૌરાષ્ટ્ર ઝોનના દરેક જીલ્લા નાં સદસ્યો, કન્વીનરો સહ કન્વીનરો, ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિય જૂનાગઢ વાલ્મીકિ સમાજ નાં જૂદાં જૂદાં વિસ્તારમાં થી પણ સમાજ નાં આગેવાનો પ્રમુખો અને માતાઓ બહેનો ઉત્સાહ સાથે અભુતપુર્વ સંખ્યા સાથે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ઉમટી પડ્યા હતાં હકડેઠઠ વિશાળ જનમેદની થી ટાઉનહોલ ખીચોખીચ ભરાઈ જતા ટાઉનહોલ ટુંકો પડ્યો હતો લોકો ને ખુરશીમાં બેસવાની જગ્યા ન મળતાં લોકોએ સ્વયં શિસ્ત બદ્ધતા જાળવીને ટાઉનહોલ ની જમીન ઉપર આશન જમાવી બેસીને ઉભા રહી ને પણ સંપૂર્ણ કાર્યક્રમ ને નિહાળ્યો હતો...ભારતીય જનતા પાર્ટી નાં અને પ્રદેશ સફાઈ કામદાર સેલ ના સફળ નેતૃત્વ ને વધાવી મહર્ષિ વાલ્મિકી જયંતિ નાં મહોત્સવને વધાવવા આપણા... વાલ્મીકિ સમાજ ની ઓળખ આન બાન અને શાન ભગવાન વાલ્મીકિજી ના જયઘોષ થી જય વાલ્મીકિ જય વાલ્મીકિ થી સમગ્ર ટાઉનહોલ ગુંજી ઉઠ્યો હતો
વાલ્મીકિ સમાજ નાં લોકો ની મહર્ષિ વાલ્મીકિજી પ્રત્યે ની આસ્થા અને લાગણી...સાથેના અને ભારતીય જનતા પાર્ટી ઉપર વાલ્મીકિ સમાજ નો અટુટ વિશ્વાસ નો એ જયઘોષ હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદાર સેલ પ્રદેશ સંયોજક માનનીય શ્રી સુરેશભાઈ મકવાણા જૂનાગઢ મુકામે રહી...અને સફાઈ કામદાર સેલ ના પ્રદેશ સ્તર નાં પદાધિકારીઓ અને જૂનાગઢ ના સ્થાનિય દિનેશભાઈ ચુડાસમા ને અને આગેવાનો ને સાથે રાખી જૂનાગઢ વાલ્મીકિ સમાજ નાં જૂદા જૂદા વિસ્તારોમાં મિટીંગો યોજી હતી જેમાં પણ લોકો નો ખુબને સહકાર પ્રાપ્ત થયો હતો અને બહેન શ્રી મેયરશ્રી ગીતાબેન પરમાર, સફાઈ કામદાર સેલ ના પ્રદેશ સદસ્ય શ્રી દિનેશભાઈ ચુડાસમા એમની ટીમ તેમજ પૂર્વ કોર્પોરેટર શ્રી મોહનભાઈ પરમાર,
શ્રી મહેશભાઈ વાઘેલા,જામનગર
શ્રી મુકેશભાઈ પરમાર રાજકોટ,
શ્રી જલ્પેશભાઈ વાઘેલા રાજકોટ
શ્રી મયુરભાઈ પાટડીયા, સુ.નગર
શ્રી વિશાલભાઈ ગોહેલ,
શ્રીમતી કંચનબેન વાઘેલા,
શ્રી રામજીભાઈ વાઘેલા,
શ્રી અજયભાઈ પુનાણી,
શ્રી બાબુભાઈ ટીમાણીયા
કન્વીનર શ્રી પ્રેમજીભાઈ ચુડાસમા તથા સહ કન્વીનર શ્રી ચિમનભાઈ પરમાર સહિતના સફાઈ કામદાર સેલ ના પદાધિકારીઓ એ કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી આ શુભ અવસર પર મોરબી થી શ્રી બકુલભાઈ પઠાણ સુભાષભાઈ પુરબીયા, કચ્છ થી રાજેશભાઈ વાઘેલા તેમજ
શ્રી ભરતભાઈ વાઘેલા,
રાજકોટથી શ્રી અજયભાઈ વાઘેલા, કપિલભાઈ વાઘેલા,
શ્રી ગિરધરભાઈ વાઘેલા, ધોરાજી થી તુષારભાઈ જેઠવા, સહિત સૌરાષ્ટ્રના દરેક શહેર જિલ્લા ના તમામ આપણા સફાઈ કામદાર સેલ ના તમામ કાર્યકર્તાઓ સેલના કન્વીનરો સહ કન્વીનરો તમામ સભ્યો તેમજ આગેવાનશ્રીઓ સૌરાષ્ટ્ર નાં અલગ અલગ જીલ્લા માં થી સમયસર કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચીને ભારતીય જનતા પાર્ટી, સફાઈ કામદાર સેલ ના નેતૃત્વમાં વાલ્મીકિ જયંતિ મહોત્સવ ને જૂનાગઢ ટાઉનહોલ ખાતે પ્રદેશ મહામંત્રી અને સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા ની વિશેષ ઉપસ્થિત માં, જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા, જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા પૂર્વ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ ચેરમેન શ્રી મનહરભાઈ ઝાલા જૂનાગઢ મહાનગર પાલિકા ડે.મેયરશ્રી ગિરીશભાઈ કોટેચા તથા મહાનગર નાં અન્ય પદાધિકારીઓશ્રી ઓ અને ભાજપ કાર્યકરો ની ઉપસ્થિતિ માં વાલ્મીકિ જયંતિ મહોત્સવ કાર્યક્રમ ને ખુબ સુંદર રીતે સફળ બનાવી દિપાવ્યો હતો.
આ સફળ કાર્યક્રમ બદલ સમાજ નાં સૌ ભાઈઓ બહેનોને અને ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર સેલ ના તમામ કાર્યકર્તાઓ સભ્યો ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આપનો સુરેશ મકવાણા,
સફાઈ કામદાર સેલ,
ગુજરાત પ્રદેશ,
ભાજપા.