02/09/2026
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણની તાલીમ શિબિરોમાં અરજી કરવાના નિયમો નીચે મુજબ છે.
(૧) આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતની હોય તેમણે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર વગેરેની માહિતી દર્શાવતી અરજી નિયત ફોર્મમાં ભરીને સંસ્થાના ફેસબુક પેજ https://www.facebook.com/svimadmin/ પરથી મેઇલ મેળવી શકાશે. તેમાં ગુજરાતના વતની હોવાનો આધાર/પુરાવો, શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, ઉમેદવારે અકસ્માત/ઇર્જા વગેરે જોખમ અંગે વાલીનું સમંતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધેલ હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરા નકલ અવશ્ય મોકલવાની રહેશે.
(૨) તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માંગે તે કોર્ષનું નામ અરજીમાં સ્પષ્ટ જણાવવું. અપૂર્ણ વિગતોવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
(૩) પસંદગી પામનાર ઉમેદવારોને ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા સરકાર દ્વારા જે તે સ્થળે વિના મૂલ્યે કરવામાં આવશે. તદ્ઉપરાંત તાલીમાર્થીઓને વતનથી તાલીમ સંસ્થાના સ્થળે તથા પરત જવાનું મુસાફરી ભાડું (સામાન્ય એસ.ટી.બસ/રેલ્વે સેકન્ડ ક્લાસ) મળવા પાત્ર રહેશે.
(૪) તાલીમ કોર્ષમાં જોડાવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ. પીન: 307501 ના સરનામે સંપૂર્ણ વિગતો સાથે અરજી મોકલવાની રહેશે.
(૫) પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમ સંસ્થા દ્વારા ઇ-મેઇલ/ટેલિફોન દ્વારા જણાવવામાં આવશે. તે સિવાય પત્ર વ્યવહાર ન કરવા આથી જણાવવામાં આવે છે.
(૬) વધુ માહિતી માટે સંસ્થાના કોન્ટેક્ટ નંબર 6377890298 પર (ઓફિસ દરમ્યાન, જાહેર રજા સિવાય) કોન્ટેક્ટ કરી શકશે.
તો રાહ જોયા વિના આજે જ અરજી કરો અને પર્વતારોહણ તાલીમ શિબિરમાં તમારું નામ નોંધાવો. 🏔️