05/05/2026
અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત શક્તિપીઠ અંબાજી કરોડો ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં મા અંબા સાક્ષાત્ બિરાજે છે. અંબાજી મંદિરની સમીપે આવેલો ગબ્બર ગોખ, જે માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે, ત્યાં અખંડ જ્યોતનાં દર્શન અને પર્વત પર ચઢવાની આધ્યાત્મિક યાત્રા ભક્તોને શક્તિ અને ભક્તિના અનોખા સંગમની અનુભૂતિ કરાવે છે.