13/10/2025
આજરોજ ગાંધીનગર કોર્પોરેશન કક્ષાએ "પોષણ સંગમ જાગૃતિ દિવસ" અને “Strong Leader-Nourish City” સેમિનારનું આયોજન વનચેતના (બોરીજ, ગાંધીનગર) ખાતે માન.મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ છે,
જે સેમિનારમાં જે બાળકોના પોષણસ્તરમાં સુધારો થયો છે તેવા બાળકોના વાલીને પોષણ કિટ, કલર, ચિત્રપોથી પોષણ સંગમ યોજનાના લોગોવાળો રૂમાલનું વિતરણ કરવામાં આવ્યું તથા કુપોષણની સ્થિતિમાં સુધાર થયેલ બાળકોના પોષણ સંગમ જાગૃતિ દિવસ નિમિતે વાલીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
ગાયનેકોલોજિસ્ટ ડૉ. જલધારા પટેલ તેમજ બાળ રોગ નિષ્ણાંત ડૉ. વિશાલ રાઠોડ સહિતના નિષ્ણાતો દ્વારા વિવિધ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પોષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો, જેમાં ખાસ કરીને ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન પોષણનું મહત્વ અને સ્થૂળતા (Obesity) ને નિયંત્રિત કરવા માટેની નિષ્ણાત વ્યૂહરચનાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ખાસ શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ માટે પબ્લીક હેલ્થ અને ન્યુટ્રીશન ઉપર નગર સેવક તરીકે પોતાના વિસ્તારમાં કામ કેવી રીતે કરવું તેની SOP તૈયાર કરેલ પુસ્તીકાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
વધુમા, "પોષણ સંગમ જાગૃતિ દિવસ" અંતર્ગત ગાંધીનગર શહેરમાં કુલ-11 વોર્ડમાં 11 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે-તે વોર્ડ કોર્પોરેટરશ્રી, વસાહત મંડળના અગ્રણીશ્રીઓ, આગેવાનો, શિક્ષકો, આરોગ્ય સ્ટાફ, આઇ.સી.ડી.એસ.સ્ટાફ વગેરે હાજર રહ્યા. વધુમાં, કાર્યક્રમમાં અંદાજિત 45-આગેવાનો, 341-વાલીઓ અને 56-કુપોષણ માંથી અપગ્રેડ થઇ સુપોષિત થયેલ બાળકો હાજર રહ્યા.