30/08/2026
ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, પક્ષના અત્યંત વરિષ્ઠ, નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર્તા શ્રી નારણભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર ઘેરા શોકની લાગણી અનુભવે છે.
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે અને તેમના પરિવારજનો, સ્વજનો તેમજ કાર્યકર્તાઓને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
ૐ શાંતિ🙏
પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી - પરિવાર