Info Jamnagar Gog

Info Jamnagar Gog page of District Information Office, Jamnagar, Government of Gujarat

વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્યશ્રી ભરતભાઈ પટણીએ જામનગર જિલ્લાના SEED ના લાભાર્થીઓ સાથે કલેક...
02/06/2026

વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્યશ્રી ભરતભાઈ પટણીએ જામનગર જિલ્લાના SEED ના લાભાર્થીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી

જામનગર તા.૨ જુન, વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્યશ્રી ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં જામનગર કલેકટર કચેરી ખાતે SEED (Scheme for Economic Empowerment of DNTs) યોજનાના લાભાર્થીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન સદસ્યશ્રીએ જામનગર જિલ્લામાં SEED યોજના હેઠળ વિવિધ લાભો પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. તેમણે યોજનાના અમલીકરણની સ્થિતિ, લાભાર્થીઓને મળતી સહાય, યોજનાના લાભ મેળવવામાં આવતી મુશ્કેલીઓ તેમજ ભવિષ્યમાં વધુ લોકોને યોજનાનો લાભ મળી રહે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

શ્રી ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે વિચરતી અને વિમુક્ત જાતિઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં આ યોજનાના લાભાર્થીઓને રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવે,સરકારના નિયમ મુજબ રહેઠાણ માટે જમીન ફાળવવા, વીજળી,પાણી તથા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત પૂરી પાડવામાં આવતી સહાયના લાભો એનાયત કરવામાં આવે તે પ્રકારે કામ કરવા તેઓએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

બેઠકમાં લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કરી યોજનાથી થયેલા લાભ અંગે માહિતી આપી હતી તેમજ કેટલીક રજૂઆતો અને સૂચનો પણ રજૂ કર્યા હતા. સદસ્યશ્રીએ રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.તેઓએ ‘હર હાથ કો કામ, હર હાથ કો દામ’ સૂત્રને સાર્થક કરવા હેતુસર વિચરતી અને વિમુક્ત સમુદાયોના લાભાર્થીઓને રોજગારી મળી રહે તે માટે પ્રયાસો કરવા લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી શારદા કાથડ, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, વિકસતી જાતિના જિલ્લા નાયબ નિયામકશ્રી એ.કે.પરમાર, અગ્રણીઓશ્રી, અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.

પ્રભારીમંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ...
01/06/2026

પ્રભારીમંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૧૩૪૬.૩૫ લાખના કુલ ૪૧૪ કામો બેઠકમાં મંજુર થયા

જામનગર તા.૧ જુન, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, સરકારની કલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ આગામી વિકાસ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં પ્રભારીમંત્રીશ્રી ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા અને જિલ્લાના વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ પ્રકલ્પોની સ્થિતિ અંગે માહિતી મેળવી સમયબદ્ધ અને ગુણવત્તાસભર કામગીરી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. જિલ્લામાં માર્ગ અને મકાન, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, શહેરી સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓએ યોજનાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે માહિતી આપી હતી.

પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને અનુરૂપ જિલ્લાના દરેક વિસ્તારમાં વિકાસના લાભો પહોંચે તે માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. તેમણે જનહિતને કેન્દ્રમાં રાખી વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને લોકોની અપેક્ષાઓને સંતોષે તે રીતે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.બેઠકમાં જિલ્લાના વિકાસ માટે જરૂરી વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયગાળા માટેના આયોજન અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર તથા જામજોધપુર તાલુકાના તથા ચાર નગરપાલિકાઓ ધ્રોલ, કાલાવડ,સિક્કા અને જામજોધપુરના વિકાસ કામો માટે કુલ રૂ.૧૩૪૬.૩૫ લાખના કુલ ૪૧૪ કામો મંજુર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, મેયરશ્રી મોનિકા વ્યાસ, ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, અગ્રણીઓશ્રી બીનાબેન કોઠારી, ડો.વિનોદભાઈ ભંડેરી, જામનગર જિલ્લા આયોજન અધીકારીશ્રી, લગત વિભાગના અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.

જામનગરમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ દ્વારા જનજાગૃતિ અંગેના વ્યાપક કાર્યક્રમોનું આયોજન હા...
01/06/2026

જામનગરમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ દ્વારા જનજાગૃતિ અંગેના વ્યાપક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ

તમાકુ ઉદ્યોગના ભ્રામક આકર્ષણો સામે યુવાધનને બચાવવા 'અંતિમયાત્રા રેલી', 'નુક્કડ નાટક' અને 'ફ્લેશ મોબ' જેવા નવતર પ્રયોગો યોજાયા

જામનગર જિલ્લામાં તમાકુ સેવનની સરેરાશ ઉંમર માત્ર ૧૦ વર્ષ, જોખમી વિસ્તારોમાં મૌખિક કેન્સર સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ સઘન કરાયું

જામનગર તા.૦૧ જૂન, દર વર્ષે ૩૧ મેના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે આ દિવસની ખાસ થીમ "Unmasking the Appeal – Countering Ni****ne and To***co Addiction" રાખવામાં આવી છે. આ વૈશ્વિક ઝુંબેશનો હેતુ તમાકુ ઉદ્યોગની ભ્રામક યુક્તિઓને ખુલ્લી પાડવાનો છે, જેના દ્વારા તેઓ યુવા પેઢીને આકર્ષિત કરે છે. આંકડા દર્શાવે છે કે તમાકુ ઉદ્યોગની હાનિકારક અસરોથી લાંબા ગાળે તેના લગભગ ૫૦% વપરાશકર્તાઓ મૃત્યુ પામે છે, જેથી આ ઉદ્યોગને પોતાનો વેપાર અને નફો ચાલુ રાખવા માટે દર દાયકામાં લાખો નવા ગ્રાહકો ઉમેરવાની ફરજ પડે છે. આ વ્યવસાયિક ગણતરી હેઠળ કંપનીઓ દ્વારા ઈ-સિગારેટ, નિકોટિન પાઉચ અને કૃત્રિમ નિકોટિન ઉપકરણો જેવા અત્યાધુનિક ઉત્પાદનોનું ખૂબ જ આક્રમક રીતે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. આવા ઘાતક ઉત્પાદનોને સમાજમાં નવતર, આધુનિક કે ઓછા નુકસાનકારક તરીકે રજૂ કરીને ભ્રમણા ઊભી કરાય છે, જેથી યુવાનોમાં વ્યસનનું પ્રમાણ જળવાઈ રહે. આ વર્ષની ઝુંબેશ દ્વારા ખાસ એ બાબત ઉજાગર કરવામાં આવી છે કે કેવી રીતે તમાકુ ઉદ્યોગ મીઠાઈ જેવા વિવિધ ફ્લેવર્સ અને આકર્ષક આધુનિક ડિઝાઇનનો ઉપયોગ કરીને નાના બાળકો અને કિશોરોને વ્યસન તરફ ધકેલે છે, તથા પોતાની ચાલાકીપૂર્ણ માર્કેટિંગ શૈલી દ્વારા વિશ્વભરના કડક તમાકુ નિયંત્રણ કાયદાઓ અને પગલાંઓને ટાળવાનો પ્રયાસ કરે છે.

આ ગંભીર વૈશ્વિક પડકારને ધ્યાનમાં રાખીને, વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૬ના અવસરે સરકારી દંત ચિકિત્સા મહાવિદ્યાલય અને હોસ્પિટલ, જામનગરના જાહેર આરોગ્ય દંતચિકિત્સા વિભાગ દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં મૌખિક કેન્સર જાગૃતિ, મફત સ્ક્રીનિંગ અને તમાકુ નિયંત્રણ સંબંધિત વિવિધ વ્યાપક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય અને દીર્ઘકાલીન હેતુ જિલ્લામાં તમાકુમુક્ત સમાજની સ્થાપના કરવાનો, તમાકુના સેવનથી થતા ભયાનક શારીરિક-માનસિક નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને વ્યસનગ્રસ્ત લોકોને યોગ્ય માર્ગદર્શન આપી સફળતાપૂર્વક તમાકુ છોડવામાં સહાયરૂપ થવાનો હતો.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સરકારી ડેન્ટલ કોલેજ અને રિલાયન્સ ગ્રુપના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયોકાર્યક્રમમાં લ...
30/05/2026

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સરકારી ડેન્ટલ કોલેજ અને રિલાયન્સ ગ્રુપના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં લોકો માટે આરોગ્ય તપાસ, પ્રદર્શન તથા ઇન્ટરેક્ટિવ ગેમ્સનું આયોજન કરાયું

જામનગર તા.૩૦ મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬ નિમિત્તે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા રિલાયન્સ ગ્રુપના સહયોગથી રિલાયન્સ રિફાઈનરી ખાતે “તમાકુના આકર્ષણનો પર્દાફાશ : નિકોટિનની લત અને વ્યસન સામે જાગૃતિ” થીમ આધારિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત રિલાયન્સ રિફાઇનરીના કામદારો તેમજ તેમના પરિવારજનો માટે આરોગ્ય તપાસ, સ્વેબ ટેસ્ટ દ્વારા મૌખિક કેન્સર નિદાન, તમાકુ નિષેધ પરામર્શ (ટોબેકો સેસેશન કાઉન્સેલિંગ), પ્રદર્શન પ્રવૃત્તિઓ અને ઈન્ટરએક્ટિવ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તમાકુના વ્યસનથી થતી હાનિઓ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રિલાયન્સ ગ્રુપ દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુની લત તથા તેના આરોગ્ય પર પડતા ગંભીર અને હાનિકારક પ્રભાવ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તમાકુમુક્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આયોજિત વિવિધ પ્રવૃત્તિઓને ઉપસ્થિત લોકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ થકી જનજાગૃતિ, આરોગ્ય પરીક્ષણ અને પરામર્શ જેવી સેવાઓના માધ્યમથી તમાકુ નિષેધનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચાડવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયોતમામ ૪૯ અરજીઓનો હકારા...
29/05/2026

જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

તમામ ૪૯ અરજીઓનો હકારાત્મક નિકાલ લાવવા બદલ અરજદારશ્રીઓએ કલેકટરશ્રીનો અભાર વ્યક્ત કર્યો

જામનગર તા.૨૯ મે, જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજૂ થયેલા કુલ ૪૯ પ્રશ્નો જે તમામનો હકારાત્મક ઉકેલ લાવી અરજદારોની રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોના નાગરિકોની વ્યક્તિગત અને જાહેર હિતની રજૂઆતો સંદર્ભે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂ હાજરીમાં વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને સ્વામિત્વ યોજના હેઠળ થયેલ ક્ષતિયુક્ત સર્વે બાબતે, જમીનમાં હક દાખલ નોંધ અંગે, ગટરની સફાઈ અંગે, જમીન સર્વે બાબતે ખાતેદાર પોતાનો કબજો દર્શાવી શક્યા ન હોવા અંગે, પીવાના પાણી અંગે, જમીન દબાણ બાબતનો પ્રશ્ન,ચૂક સુધારા દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી ભરવા બાબત, વીજળી અંગેનો પ્રશ્ન, અનધિકૃત બાંધકામ અને ફેન્સીંગ દુર કરવા બાબત, જમીન સંપાદન અન્વયે અરજદારને વળતરની રકમ ચુકવવા બાબત, ગેરકાયદેસર દબાણ દુર કરવા અંગે, રહેણાંક વિસ્તાર પાસે પાર્કિંગ કરવા બાબત, મકાનનો કબ્જો પરત અપાવવા અંગે, સ્પીડ બ્રેકર બનાવવા બાબત, તળાવ અને નદી ઊંડા ઉતારવા, રોડ રસ્તા અંગેનો પ્રશ્ન જેવા અરજદારોના વિવિધ પ્રશ્નો અન્વયે કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને સુચના આપી સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સુચના આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, પ્રાંત અધિકારીશ્રીઓ, લગત વિભાગના અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.

જામનગર ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈનવા તબીબોની નિમણૂંક, નવા રજીસ્ટ્રેશન અ...
29/05/2026

જામનગર ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

નવા તબીબોની નિમણૂંક, નવા રજીસ્ટ્રેશન અને ક્લિનિક વેરિફિકેશન રિવ્યુ સહિતની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

જામનગર તા.૨૯, જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના ચુસ્ત અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા પંચાયત જામનગર ખાતે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભૃણ હત્યા અટકાવવા વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંતર્ગત વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવવા માટેના એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

બેઠકની શરૂઆતમાં ગત મીટિંગના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું અને તેના પર લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સમિતિ સમક્ષ આવેલા વિવિધ પ્રસ્તાવો અન્વયે ક્લિનિક્સને નવા રજીસ્ટ્રેશન આપવા, કાર્યરત ક્લિનિક્સના રજીસ્ટ્રેશનનું રિન્યુઅલ કરવા તેમજ સંબંધિત એજન્સીઓને નિયમાનુસાર રજીસ્ટ્રેશન આપવા બાબતે સર્વાનુમતે નિર્ણયો લેવાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરતા અથવા માપદંડો પૂર્ણ ન કરતા કેન્દ્રોના રજીસ્ટ્રેશન કેન્સલ કરવા અંગે પણ કાયદાકીય જોગવાઈઓ મુજબ ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં ક્લિનિક વેરિફિકેશન રિવ્યુ અંતર્ગત જિલ્લામાં ચાલતા સેન્ટરોની તપાસણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ એક્ટના રૂલ્સ-૧૩ અન્વયે કાયદાકીય પ્રક્રિયાઓ માટે નવા તબીબોની નિમણૂંક કરવા જેવા મહત્વના વહીવટી વિષયો પર પણ સભ્યો દ્વારા ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજકુમાર સિંઘ, ડો. આર. બી. ગુપ્તા તેમજ સમિતિના અન્ય સરકારી અને બિન-સરકારી સભ્યો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000

29/05/2026

સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ...

બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. વન વિભાગ અને અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાને આવી નથી...

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક ધારણા મુજબ બાળસિંહોના આ શંકાસ્પદ મોત ‘બેબિસીયોસિસ’ નામના વાયરસથી થયા હોવાની આશંકા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા મૃતક બાળસિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3થી 4 દિવસમાં આવી જશે. આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ જોડાયેલી છે. અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઈતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’-ઈતરડી નાશક પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે...

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમનું કાર્યાલય જાતે સીધી દેખરેખ રાખી રહ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કાર્યાલય-PMO પણ આ ઘટના પર સતત નજર રાખીને રાજ્ય સરકારને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. જ્યાં પણ જરૂર જણાય ત્યાં નિયમબદ્ધ રીતે પ્રિવેન્ટિવ વેક્સિનેશન સહિતના તમામ આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે...

CMO Gujarat Harsh Sanghavi Arjun Modhwadia Pravin Gordhanji Mali

29/05/2026
29/05/2026

Address

Seva Sadan-2, Lal Bunglow Circle, First Floor, District Information Office
Jamnagar
361001

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Alerts

Be the first to know and let us send you an email when Info Jamnagar Gog posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share