Jal Patel

Jal Patel Social & Political Activist | Climate Activist | Chairperson -The Mother's Foundation |

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય દિવસ "રામનવમી"ના પાવન પર્વની મંગલકારી શુભકામનાઓ.ભગવાન શ્રી રામજીનું જીવન ...
26/03/2026

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય દિવસ "રામનવમી"ના પાવન પર્વની મંગલકારી શુભકામનાઓ.
ભગવાન શ્રી રામજીનું જીવન આપણને મર્યાદાઓનું પાલન કરવાનું તેમજ સત્ય અને ધર્મના માર્ગ પર અનુસરવાનું શીખવે છે. મહાપ્રભુ શ્રી રામજીની કૃપા અને આશીર્વાદ સૌના પર સદાય બની રહે તેવી પ્રાર્થના...
જય શ્રી રામ🚩

08/03/2026
26/01/2026

ભારત માતા કી જય! 🇮🇳 વંદે માતરમ!

આજે ૨૬મી જાન્યુઆરીના પાવન અવસરે લોઠીયા ગામની દીકરી તરીકે મને શાળાના પટાંગણમાં બોલવાનો જે મોકો મળ્યો, તે મારા માટે ગૌરવની વાત છે. 🎙️🇮🇳

બંધારણ એ માત્ર કાયદાનું પુસ્તક નથી, પણ આપણી આઝાદીની ગેરંટી છે." 📖⚖️

આજે ૨૬મી જાન્યુઆરીએ, મેં બાબા સાહેબ આંબેડકરના વિચારો અને આપણા બંધારણે આપેલા સમાનતાના અધિકાર વિશે વાત કરી. આઝાદીની કિંમત આપણા શહીદોએ ચૂકવી છે, તો આપણે તેની જાળવણી કરવી જ રહી.

આ વિડીયો જુઓ અને શેર કરો! 🇮🇳

ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ!  આજે એ દિવસ છે જ્યારે આઝાદ ભારતે પોતાનો સંવિધાન સ્વીકારીને ન્યાય, સ્વ...
26/01/2026

ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ!
આજે એ દિવસ છે જ્યારે આઝાદ ભારતે પોતાનો સંવિધાન સ્વીકારીને ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ચાલો, આપણે સૌ મળીને દેશની એકતા, અખંડિતતા અને લોકશાહીને વધુ મજબૂત બનાવીએ.
દેશ માટે સમર્પિત દરેક દેશવાસીને નમન
જય હિન્દ
જય સંવિધાન

23/01/2026

શું ગુજરાતમાં કાયદો માત્ર ગરીબો માટે જ છે? ⚖️🔥
સત્તા અને સંપત્તિના જોરે કાયદાના ધજાગરા ક્યાં સુધી? 👊

જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય અથવા મૌન રહીને અન્યાયને સાથ આપે, ત્યારે જાગૃત નાગરિકે અવાજ ઉઠાવવો જ પડે. શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરના આદર્શો પર ચાલીને, આજે હું સિસ્ટમ સામે આકરા સવાલો પૂછી રહી છું.

20/01/2026

"અન્યાય જોઈને મૌન રહેવું એ પણ પાપ છે!"

જ્યારે ભીષ્મ પિતામહ જેવા વિદ્વાનો અધર્મ સામે મૌન રહ્યા, ત્યારે વિનાશ નક્કી હતો. આજે ગુજરાતમાં વિપક્ષના નેતાઓ રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગપતિઓના કૌભાંડો સામે કેમ મૌન છે? 🤐

👉 જામજોધપુરમાં ૧૮,૦૦૦ વીઘા ગૌચર અને ખેતીની જમીન છીનવાઈ ત્યારે નેતાઓ ક્યાં હતા?
👉 જામનગર માં ત્રીજા સ્મશાન નું કૌભાંડ અને ઈસુદાન ગઢવીની ચુપકીદી.
📌 ઉદ્યોગોના નામે જમીન લઈ 'વનતારા' બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ. SEZ કાયદાનું ઉલ્લંઘન કરી વનતારાનું નિર્માણ.
👉 ખેડૂતોના મસીહા બનવાનો દાવો કરનારા આજે 'સેટલમેન્ટ' માં કેમ વ્યસ્ત છે?

આ વીડિયો માત્ર રાજકારણ વિશે નથી, પણ ગુજરાતના સ્વાભિમાન વિશે છે. સત્યનો અવાજ બનો! 🚩

13/01/2026

🙏 જય મા ખોડલ! શું આપણી આસ્થાની કિંમત માત્ર વોટ બેંક છે?

જે મા ખોડલના આપણે સમ ખાઈએ છીએ, જેના વાહન 'મગર' ને આપણે પૂજીએ છીએ, એ જ મગરની ચામડી ઉતારીને અંબાણી પરિવાર પોતાના શોખ પૂરા કરે છે. અને આપણા નેતાઓ? તેઓ મૌન છે!

આ લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, આ લડાઈ આપણી 'અસ્મિતા' અને 'સ્વમાન' ની છે. પાટીદાર હોવ તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને દરેક ગ્રુપમાં શેર કરજો.

શું આપણે આપણી મા નું અપમાન સહન કરી લઈશું? જાગો પાટીદાર... હવે રણશિંગું ફૂંકાઈ ગયું છે! ⚔️

11/01/2026

જામનગરના મારા ભાઈઓ-બહેનો, 12 તારીખે આવનારી કહેવાતી 'પરિવર્તન સભા' પાછળનો અસલી ખેલ શું છે? કેજરીવાલના ઇશારે નાચતા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાના જેવા મોટી-મોટી વાતો કરનારા આ નેતાઓને મારા કેટલાક સીધા સવાલો છે:

1️⃣ જામનગરમાં ત્રીજું સ્મશાન ન બન્યું અને ક્રિષ્ના પાર્કવાળો ભ્રષ્ટાચાર થયો, તેના પર ગોપાલ ઇટાલિયા કેમ ચૂપ છે?
2️⃣ સરકારે જામજોધપુરની હજારો વીઘા જમીન રિલાયન્સ ફાળવેલ આ 'આમ આદમી'ના નેતાઓ કેમ અવાજ નથી ઉપાડતા?
3️⃣ રિલાયન્સના પ્રદૂષણ અને ગેરકાયદેસર બસો સામે આ 'આમ આદમી'ના નેતાઓ કેમ અવાજ નથી ઉપાડતા?

આ લોકો પરિવર્તન માટે નહીં, પણ પોતાના સેટિંગ માટે આવે છે. તેમનો અસલી ચહેરો જોવા આ વિડીયો જુઓ.

જલ પટેલ

05/01/2026

સાવધાન ગુજરાત! શું આપણે પણ પંજાબ જેવી ભૂલ કરવા જઈ રહ્યા છીએ? 📢

"વિસાવદર વાળી... વિસાવદર વાળી..." કહીને ખેડૂતોના મસીહા બનતા નેતાઓનો અસલી ચહેરો આજે ખુલ્લો પાડવો છે. પંજાબમાં ખેડૂતો પર અત્યાચાર અને ગુજરાતમાં રિલાયન્સ સામે મૌન - આ છે આમ આદમી પાર્ટીની અસલી રાજનીતિ!

મેં આ વિડિયોમાં ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાને ૧૦ આકરા સવાલો પૂછ્યા છે. જેનો જવાબ દરેક ગુજરાતીએ માંગવો જોઈએ:

1️⃣ જામજોધપુરમાં રિલાયન્સને અપાયેલી ૧૮,૭૫૦ વીઘા જમીન મુદ્દે હેમંત ખવા અને ગોપાલ ઈટાલિયા કેમ ચુપ છે?
2️⃣ પંજાબમાં હાઈટેન્શન લાઈનનો વિરોધ કરતા ખેડૂતોને તમારી પોલીસે ઢસડીને કેમ માર્યા?
3️⃣ પંજાબમાં ૪ વર્ષથી તમારી સરકાર છે, તો ખેડૂતોને મનગમતું વળતર આપતો કાયદો કેમ ના બનાવ્યો?
4️⃣ શું રિલાયન્સ પાસેથી મળતા ‘હપ્તા’ ને કારણે તમે એમનો વિરોધ નથી કરતા? 5️⃣ પંજાબમાં ખુલ્લેઆમ વેચાતા નશા અને અફીણ સામે તમારી સરકાર શું કરી રહી છે?
6️⃣ દિલ્હીમાં આરોગ્યના સાધનોની ખરીદીમાં થયેલા કૌભાંડના પૈસા ક્યાં ગયા?
7️⃣ ગુજરાતમાં ‘સ્માર્ટ મીટર’ નો વિરોધ કરો છો, તો પંજાબમાં ખાનગીકરણ અને સ્માર્ટ મીટર પર કેમ મૌન છો?
8️⃣ પંજાબમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, તો તમારી ‘મસીહા’ હોવાની વાતો ક્યાં ગઈ?
9️⃣ શું એ વાત સાચી નથી કે 'આપ' ના નેતાઓ રિલાયન્સના ઈશારે જ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે?
🔟 પંજાબના ખેડૂતો ત્રાહીમામ છે, તો શું તમે ગુજરાતમાં પણ પંજાબ જેવી અરાજકતા લાવવા માંગો છો?

સત્ય કડવું હોય છે પણ જાણવું જરૂરી છે. જુઓ આ ખાસ વિડિયો અને નક્કી કરો કે ગુજરાતનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે. આ વિડિયોને શેર કરીને જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બનો. 🙏

04/01/2026

🚨 ભાવનગર એસ.પી. નીતેશ પાંડે જવાબ આપે! 🚨

બગદાણાના નવનીતભાઈની આ હાલત કરનાર મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાંથી કેમ ગાયબ છે? શું પોલીસની ફરજ આરોપીઓને બચાવવાની છે?

પોલીસ, રાજકારણ અને ભ્રષ્ટાચારનું ગઠબંધન! 🚨

બગદાણા જેવા પવિત્ર સ્થળે નિર્દોષ વ્યક્તિ પર હુમલો થાય અને પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ભેદભાવ કરે, તે કેટલું યોગ્ય? ભાવનગરના એસ.પી. નીતેશ પાંડે અને તેમના હાથ નીચેના અધિકારીઓ કાયદાનું રક્ષણ કરી રહ્યા છે કે સત્તાધીશોના મિત્રોનું?

આ વિડિયોમાં હું, જલ પટેલ, ખુલાસો કરી રહી છું:

🚩 એસ.પી. નીતેશ પાંડેનો ભૂતકાળ અને રાજકીય કનેક્શન.

🚩 બાતમીદારોના નામ જાહેર કરી દેતા ડીવાયએસપી ઝાલાની બેદરકારી.

શું પોલીસ અધિકારીઓ માત્ર રાજકારણીઓના હાથા છે? જામનગરથી ભાવનગર સુધી એસ.પી. નીતેશ પાંડેનો વિવાદાસ્પદ ઇતિહાસ અને બગદાણા હુમલામાં આરોપીઓને બચાવવાની પેરવી.

પોલીસ ખુદ બાતમીદારોના જીવ જોખમમાં મૂકે છે. હીરાબાપા સોલંકીના પ્રયાસોને અભિનંદન,

03/01/2026

મિત્રો, આ માત્ર એક વાર્તા નથી, પણ આપણી અસ્મિતા અને ભક્તિનો જીવતો જાગતો ઇતિહાસ છે. મામડિયા ગઢવીની સાત-સાત વારની કઠિન પદયાત્રા અને માઁ ખોડલના પ્રાગટ્યની ગાથા આજે હું, જલ પટેલ, તમારી સમક્ષ રજૂ કરી રહી છું.

પરંતુ, આજે મારે એક કડવું સત્ય પણ કહેવું છે. જે મગરને આપણે માઁ ખોડલનું વાહન અને દીકરો માનીએ છીએ, શું તેની ચામડી અમીરો માટે માત્ર ફેશનનું સાધન છે? 🐊

શું નીતા અંબાણી જેવા લોકો નથી જાણતા કે ફેશનના નામે તેઓ જે પર્સ વાપરે છે તે લાખો લોકોની આસ્થાનું અપમાન છે?

પૂરો વીડિયો જુઓ અને શેર કરો જેથી આપણો સમાજ જાગૃત થાય.

Address

THE MOTHERS FOUNDATION , Ranjit Sagar Road
Jamnagar
361005

Alerts

Be the first to know and let us send you an email when Jal Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category