28/07/2023
જય ભીમ
જય વાલ્મીકિ
સમાજની પ્રગતિ નું મુખ્ય આધાર ધંધો, શિક્ષણ, અને સમાજની એકતા છે. બસ આ પેટન ઉપર ઘણા સમાજો આગળ વધી રહ્યા છે.
જો દરેક શિક્ષિત સમૃદ્ધ સમાજ કહેવાય તો આપણે શું કહેવાઈએ.?
બધી રીતે સુખ સમૃદ્ધિ આપણે દરેક સમાજ ની જોઇ રહયા છીએ તે ઉપરની વસ્તુઓ ના આધારે છે.
જો આ સમાજ બધી રીતે સુખી સંપન્ન હોવા છતાં પણ જો શિક્ષણ મા અનામતની જરુરિયાત સમજી જે આયોજનપૂવૅક ધમપછાડા કરીને આ માંગ પૂરી કરાવી.
તો શું આપણે આટલા સુખી સંપન્ન છીએ?
જો ના તો શું તમારા શિક્ષિત બાળકો માટે અનામત જરુરી નથી?
શું તમે જાણો છો કે પહેલાં આપણા સમાજ માટે બે ટકા સ્પેશિયલ અનામત શિક્ષણના એડમિશન માટે સાથે નોકરી માટે પણ અનામત હતી????
કોણે કાઢી? કોણે સાચવી નહિ? તે પ્રશ્રનો મહત્વ નથી. પરંતું અત્યારે હાલ એ છે કે આપણી સમાજના શિક્ષિત
(સરકારી નોકરી) કરતાં લોકોના બાળકો પણ સોસાયટી વાળતાં, પ્રાઇવેટ નોકરી કરતાં થઈ ગયા છે. શું આ સત્ય નથી?
આવો ફરીથી એક થઈ, એક આવાજ, એક વિચાર,એક ધ્યેય
સ્પેશિયલ અનામત હકક છે અમારો.
જો 2℅ અનામત આપવી એ રાજય સરકારની ફરજ છે. જે સરકારે નિભાવી જોઇએ.
જો સમાજનો મુખ્ય આધાર શિક્ષણ છે. તો
શિક્ષિત થઈ નોકરી મેળવવી એ પણ જરુરી છે. 2007 સુધી સ્પેશિયલ અનામત ના કારણે આ સમાજના ઘણાં શિક્ષકો બન્યા હતા. સમાજ સુધારણા મહત્વ ની ભૂમિકા ભજવી છે. શું આ સત્ય નથી???
સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત
એ વાલ્મીકિ સમાજ ગુજરાત ના લોકોનું વિશ્વાસ પાત્ર સંગઠન છે.
સમાજ ના શિક્ષિત યુવાનો, શિક્ષિત યુવાનોના માતા પિતા વગેરે ને તન મન ધનથી સાથ સહકાર આપવા વિનંતી🙏
સમાજ આવાજ દો
સ્પેશિયલ અનામત છે અધિકાર અમારો.