24/05/2026
PM મોદીના હસ્તે રોજગાર મેળામાં
51,000 યુવાનોને નિમણૂક પત્રો એનાયત
પ્રધાનમંત્રી મોદીએ 19માં રોજગાર મેળા દરમિયાન વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51,000થી વધુ નવનિયુક્ત યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રો આપ્યા હતા.દેશના 47 શહેરોમાં યોજાયેલા 19મા રોજગાર મેળામાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા. તેમણે યુવાનો સાથે વાતચીત પણ કરી.આ પહેલા દેશભરમાં 18 રોજગાર મેળા યોજાઈ ચૂક્યા છે, જેમાં લગભગ 12 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.