05/04/2026
જન જન છે ભાજપનો પરિવાર,
ભવ્ય વિજયનો સંકલ્પ થશે સાકાર!
આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - 2026 અંતર્ગત રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 14 સમાવિષ્ટ સયાજી સ્કૂલ શક્તિકેન્દ્રના બુથ નંબર 177. 175. 194. 176 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં "જન સંપર્ક " અભિયાન અંતર્ગત મતદારો સાથે સીધો સંવાદ કરીને ભાજપ સરકારની પ્રજાહિતેષી નીતિઓ, કલ્યાણકારી યોજનાઓ અને જનસેવા માટેના સંકલ્પ અંગે માહિતગાર કર્યા.
ભાજપના કાર્યકર તરીકે રાષ્ટ્રવાદી વિચારધારા અને જનકલ્યાણ માટે નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહનો અનોખો સંચાર થયો.
યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં આવો, સૌ સાથે મળીને ફરી કમળ ખિલાવીએ અને સ્થાનિક વિકાસયાત્રાને વધુ ગતિ આપીએ!