27/08/2026
નેપાળમાં અચાનક આવેલા પૂરની પરિસ્થિતિને પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર.
અરવલ્લી જિલ્લાના નાગરિકોને તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં રહેતા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, જો તેમના પરિવારજનો,સગા- સંબંધીઓ અથવા પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયેલા હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય, તો તાત્કાલિક નીચેના હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવો.
જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), અરવલ્લી
ટોલ ફ્રી હેલ્પલાઇન નં.: ૧૦૭૭
ફોન નં.: ૦૨૭૭૪-૨૫૦૨૨૧
નેપાળમાં પૂર સંબંધિત તાત્કાલિક સહાય માટે:
📞 +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭
📞 +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦
આ ઉપરાંત, ઉપરોક્ત નંબરો પર વોટ્સએપ દ્વારા પણ જાણકારી આપી શકાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે નેપાળમાં રહેલા પોતાના પરિવારજનો તથા પરિચિતોની સલામતી અંગે કોઈ માહિતી મેળવવાની જરૂરિયાત હોય અથવા તાત્કાલિક સહાયની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી જરૂરી માહિતી આપવી.
CMO Gujarat