13/09/2024
પ્રેસ નોટ
તારીખ 13/09/2024
આમ આદમી પાર્ટી પાલીતાણા દ્વારા કેજરીવાલજી ને જમાનત મળતા ઉજવણી
આજરોજ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની કથિત શરાબ નીતિ કૌભાંડ માં સીબીઆઇ દ્વારા થયેલ ધરપકડ ના કેસમાં જમાનત આપવામાં આવી અને સાથે સાથે કોર્ટ દ્વારા સીબીઆઈને એવી ટકોર કરવામાં આવી કે એકવાર પૂછતાછ કર્યા પછી 22 મહિના સુધી ધરપકડ ની કોઈ જરૂરત ના પડી અને અચાનક ધરપકડ કરવાની કેમ જરૂર પડી, સીબીઆઇ ને પાંજરામાં બંધ કરેલા પોપટની જેમ જોવી જોઈએ.
આખો કથિત ઘોટાળો રાજકીય દ્વેષ સાથે સત્તાધારી ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને આગળ વધતી રોકવા માટે અને પાર્ટીના મુખ્ય નેતાઓને દબાવીને ચૂપ કરાવવા માટે ઉપજાવેલો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ત્યારે આજે કેજરીવાલજી ને જમાનત મળતા જ પાલીતાણા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર મિત્રો દ્વારા શહેર ના આંબેડકર સર્કલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરને હાર પહેરાવી, ફટાકડા ફોડી એકબીજાને મોઢું મીઠું કરાવીને આ ખુશી પાલીતાણાના લોકો સાથે ઉજવવામાં આવી. આ તબક્કે ખાસ ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા, તાલુકા પ્રમુખ રાઘવભાઈ ગોહિલ, શહેર પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા, ગોવિંદભાઈ ધામેલીયા, અરજણભાઈ મેર .ભીખાજી પરમાર.જનકભાઈ.ભરતભાઈ.લાલભાઈ.પ્રદીપભાઈ..તેમજ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ જ જોશ સાથે નારા બોલાવીને ઉજવણીમા જોડાયા હતા.
Arvind Kejriwal
Gopal Italia
Aam Aadmi Party Bhavnagar Taluka
Aam Aadmi Party Gujarat
Isudan Gadhvi
Manoj Sorathiya