04/06/2026
વિશ્વ પર્યાવરણ દિવસ તથા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના આગમનને અનુલક્ષીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને હરિયાળી, સ્વચ્છતા અને સંસ્કૃતિના રંગોથી શણગારવામાં આવ્યું છે.
શહેરની વિવિધ દિવાલો પર પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પક્ષીઓ-પ્રાણીઓ, ભારતીય સંસ્કૃતિ, સુરતની આગવી ઓળખ અને સ્વચ્છતા જેવા વિષયો આધારિત આકર્ષક મ્યુરલ્સ અને ફ્લેક્સ પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
આર્ટ પેઇન્ટિંગ્સ, હેન્ડ પેઇન્ટેડ પ્લેકાર્ડ્સ અને સર્જનાત્મક મ્યુરલ્સ દ્વારા નાગરિકોમાં હરિયાળી, પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરતની દિવાલો પર સર્જાયેલા આ કલાત્મક સંદેશાઓ માત્ર શહેરની સુંદરતામાં વધારો કરતા નથી, પરંતુ નાગરિકોની એકતા, જવાબદારી અને ગૌરવનું પણ પ્રતિબિંબ રજૂ કરે છે.