06/06/2026
મહાધરમ ના નામે વ્યભિચાર આચરી ગુરુની ગાદી અને નામ બંને લજવ્યું, અને હવે જ્યારે પાપનો ઘડો ભરાય ગયો અને ફૂટવાની તૈયારી માં છે તો આટલા બધા અકળાઇ શુકામ જાવ છો..?
શું એક પરિવાર ને સાચવવા જ સાધુ થવું પડ્યું.? ૨૦ વર્ષ થી આશ્રમના રૂપિયા ક્યાં જાય છે, એ બધા જાણે જ છે, નથી બોલતા તો એમ નહિ સમજવું કે નમાલા હશે, એ બધા સમય આવશે ત્યારે બોલશે જ, ધીરજ રેય તો રાખો બાકી કર્મોની સજા તો મળશે જ, કાયદા બધાને લાગુ પડે છે, કહેવાતા સાધુઓને પણ, જેલમાં જવું પડે હો તમે કાઈ બાપની જાગીર ઉપર નથી બેઠા હો,
એક ફક્કડ અને તપસ્વી સંતની જગ્યા માં સેવકોએ ચાર ચાર પેઢી થી સેવા કરી છે અને આશ્રમ ના સ્થાપક સંતશ્રી એ પણ પોતે ટ્રસ્ટ બનાવી અને ધારા ધોરણ નક્કી કરેલ છે એની ઉપરવટ અત્યાર સુધી ભલે ગયા હોવ પણ હવે નહિ જવાય, બહુ થયું અત્યાર સુધી ચલાવી લીધું બધા એ હવે નહિ ચાલે,
પહેલા તો આશ્રમ ના રૂપિયા ક્યાં નાખ્યા એનો હિસાબ આપો, કોનાં ઘર બન્યા કોનાં ઘર ચલાવ્યા બધું જાહેરમાં સ્વીકારો, એટલે સેવકોને ખબર પડે કે તમે સાધુતા ને કેટલા લાયક છો, એકતો કાળા કમો કરતા આવ્યા છે અને બીજાને મારી નાખવા ની વાતો કરો છો, કોઈને મરાવી નાખવા સોપારી આપો છો, શરમ કરો શરમ ક્યાં બેસીને શું કામ.કરો છો, એક બાઈ માટે આખા આશ્રમ ને હોડમાં મૂકી દીધો, મારી નાંખું,કાપી નાખું, એ બાઈ માટે જ મરવું છે, મારામાં પ્રાણ હોય ત્યાં સુધી એ બાઈનો વાળ વાંકો નો થવા દવ, આ બધા શબ્દો સાધુને શોભતા છે .? વિરોધ કરશે તો હું કોઈને તલવાર ભરાવી દઈશ, એક બાઈ માટે સાધુ આવું બોલે..? તમે એ બાઈ સાથે જીવો, જલસા કરો એમને કોઈ વાંધો નથી પણ...આશ્રમ છોડી ને , તમારો નવો આશ્રમ બનાવી લ્યો ક્યાંક અને જે કરવું હોય તે કરો અમારા બાપ નું કાઈ ની લૂંટાય પણ એક તપસ્વી સંત ની જગ્યામાં આવા ભવાડા હવે ચલાવી લેવામાં આવશે નહિ, આ દેશમાં કાયદાનું રાજ છે, તમારા બાપા નું રાજ નથી કે તમે એક ટ્રસ્ટી ને મારી નાખવા સુધી પહોંચી જાવ અને તમને કાઈ નો થાય, પહેલા તો કોઈક ભણેલ ગણેલ ને પૂછી લો ટ્રસ્ટ શું કહેવાય, ટ્રસ્ટીઓ શું કહેવાય, ટ્રસ્ટની જગ્યાનો વહીવટ કેમ થાય કોણ કરે આ બધું જાણી લો પછી કોઈને પતાવટ ની વાત કરવા જજો, અને એ વાતની પણ શરમ નથી આવતી કે ત્રણ ત્રણ વખત જેમણે સમાધાન કરાવ્યા એને કહેવા જાવ છો કે સમાધાન કરાવો, અત્યાર સુધી માં કેટલા સમાધાન કરાવ્યા, ? કેટલા સોગંધ નામાં લખી આપ્યા, લખી આપ્યા તો શુકામ લખી આપ્યા એ બધું ભૂલાય ગયું.?
અને રહી વાત છેડતીની ફરિયાદ ની તો એ બાબતે એસ પી અમરેલી ને અરજી કરી છે જે સત્ય હશે એ બહાર આવશે અને સત્ય હર કોઈએ સ્વીકારવું પડશે, પૈસા આપીને પતાવટ કરી હશે તો પણ. બે ફરિયાદ કરી છે એક ધાક ધમકીની એની બીજી છેડતી ની અરજી બાબતે ની અને ત્રીજી પણ ટૂંક સમય માં દાખલ થશે જેમાં અત્યાર સુધીના ટ્રસ્ટ ના જે પૈસા ની ઉચાપત થઈ હશે તે તમામ રૂપિયા ટ્રસ્ટ માં જમાં કરાવવા પડશે, અને તેમાં જે કોઈના નામ ખુલશે તે તમામ એમાં આરોપી બનશે, એટલે જેમણે જેમણે જલસા કરી લીધા એમણે તૈયારી રાખવી...
સીતારામ..🙏