18/07/2026
🚨 જાગો વરાછા… જાગો સરથાણા…! 🚨
જો આપણા પરિવાર, બહેનો, દીકરીઓ અને બાળકોનું સુરક્ષિત ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય, તો રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી અથવા આવનારી ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રીઝને કાયમી બંધ કરાવવી જ પડશે. રહેણાંક વિસ્તાર માત્ર રહેણાંક માટે જ રહે — ઉદ્યોગો માટે નહીં.
📢 સરથાણા, સીમાડા, શ્યામધામ, વાલક સહિત સમગ્ર વરાછા વિસ્તારના રહેવાસીઓને અપીલ છે કે રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે થઈ રહેલા ગેરકાયદેસર ઉદ્યોગો અને બાંધકામ સામે અવાજ ઉઠાવવા યોજાયેલા ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી આપણી એકતા દર્શાવો.
આજે જો આપણે મૌન રહીશું, તો આવનારા સમયમાં રહેણાંક વિસ્તારનું સ્વરૂપ બદલાઈ જશે. ટ્રાફિક, પ્રદૂષણ, અવાજ, સુરક્ષા સહિતના પ્રશ્નો આપણા પરિવાર, બહેનો, દીકરીઓ અને બાળકોના જીવનને અસર કરી શકે છે.
સૌ સોસાયટીના પ્રમુખશ્રીઓ, કમિટી સભ્યો, રહેવાસીઓ, વેપારીઓ, યુવાનો, મહિલાઓ તથા વરાછા વિસ્તારના આગેવાનોને ખાસ અપીલ છે કે આ ધરણામાં અવશ્ય જોડાશો.
📅 તારીખ: ૧૯/૦૭/૨૦૨૬ (રવિવાર)
🕒 સમય: બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી
📍 સ્થળ: શ્યામધામ મંદિર, સિંહ સર્કલ સામે, આઇકોનિક રોડ
પધારો… પધારો… પધારો…
આવો, કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે અન્યાય સામે અવાજ ઉઠાવી આપણા રહેણાંક વિસ્તારને સુરક્ષિત રાખીએ.
સામાજિક આગેવાન
અન્યાયનો અવાજ
આપનો,
ચંદુભાઈ સોજીત્રા (દાઢી)