28/03/2026
ધી વરાછા કો-ઓપ. બેંક લિ. માં પરિવર્તન કેમ જરૂરી છે.?
The Varachha Co-Operative Bank Ltd. માં છેલ્લા ૩૧ વર્ષથી ચૂંટણી વિના કહેવાતા આગેવાનો દ્વારા પોતાની અંગત વ્યક્તિઓની પસંદગી પ્રક્રિયા દ્વારા ડિરેક્ટરોની નિમણૂંક થતી આવી છે. આ વખતે કુલ 15 પૈકી 3 ડિરેક્ટરો (લેડીસ અને એસ.સી./એસ.ટી. અનામત સીટ) બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. બાકી રહેલી 12 ખાલી જગ્યાઓ માટે સમાજના 3 અગ્રણીઓ પોતાની-પોતાની કઠપૂતળીઓ ઉભી રાખી ડિરેક્ટર બનાવી બેંકમાં સત્તા જાળવી રાખવા પ્રયત્નશીલ હતા, ત્યારે “પરિવર્તન પેનલ” નામથી નવા 6 ઉમેદવારો મેદાને ઉતરી સૌને ચોંકાવી દીધા છે.
આ પરિસ્થિતિમાં બેંકના 🏦 સભાસદો માટે પોતાનો મતાધિકાર ઉપયોગ કરીને નવા ડિરેક્ટરો પસંદ કરવા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સહકારી સંસ્થાનો મૂળ આધાર “સભાસદોની માલિકી અને લોકશાહી વ્યવસ્થા” છે. જ્યારે ચૂંટણી વગર નિમણૂંક થાય છે, ત્યારે જવાબદારી અને પારદર્શિતા ઓછી થવાની શક્યતા રહે છે. ચૂંટણી દ્વારા પસંદ થયેલા ડિરેક્ટરો સીધા સભાસદો સામે જવાબદાર રહે છે, જે સંસ્થાના સ્વસ્થ વિકાસ માટે અત્યંત જરૂરી છે.
નવા ડિરેક્ટરોની પસંદગી થવાથી બેંકના સંચાલનમાં નવા વિચારો દરેક કર્મચારીઓ ને નવી ઊર્જા આવશે, પારદર્શિતા અને જવાબદારી વધશે, સભાસદોના હિતને પ્રાથમિકતા મળશે અને લાંબા સમયથી ચાલતી એકપક્ષીય પ્રણાલીનો અંત આવશે. છેલ્લા 31 વર્ષથી એકબીજાની પસંદગીના લોકો ને ડિરેક્ટર પદ પર બેસાડી “રિમોટ કંટ્રોલ”થી સંચાલન કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં અગાઉના ડિરેક્ટરોની કારગતીઓ બહાર લાવવા માટે નવા અને યુવા ડિરેક્ટરોનું ચૂંટાઈને આવવું ખૂબ જરૂરી છે.
એકહથ્થું શાસન લાંબા સમય સુધી ચાલે ત્યારે અંતે ખાતેદારો અને સભાસદોને નુકસાન જ થાય છે. અમુક ઉદાહરણો નીચે મુજબ છે:
1). Suryapur Co-operative Bank માં અંદાજે ₹44 કરોડનું લોન કૌભાંડ બહાર આવ્યું હતું. ડિરેક્ટરો અને અધિકારીઓએ ગેરરીતે લોન આપી અને રિકવરી ન થતાં બેંક લિક્વિડેશનમાં ગઈ અને હજારો ડિપોઝિટરોના પૈસા ફસાયા.
2). Mehsana Urban Co-operative Bank ની સુરત બ્રાંચમાં અંદાજે ₹4 કરોડની ગેરરીતે રકમ ઉપાડવામાં આવી હતી. કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણીથી નકલી એન્ટ્રીઓ અને ગેરકાયદેસર વિથડ્રૉલ થયા.
3). Surat People’s Cooperative Bank પર RBI દ્વારા દંડ લગાવવામાં આવ્યો. મોટી લોનની માહિતી સમયસર રિપોર્ટ ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી, જે બેંકના ગવર્નન્સ અને કંટ્રોલ સિસ્ટમ નબળા હોવાનો સંકેત આપે છે.
4). Mehsana Urban Co-operative Bank Ltd. માં ₹64 કરોડનું લોન કૌભાંડ થયું હતું. બેંકના પૂર્વ CEO અને ડેવલપરો વચ્ચે સાંઠગાંઠથી ખોટા દસ્તાવેજો અને વેલ્યુએશન રિપોર્ટના આધારે લોન મંજૂર કરવામાં આવી અને રકમનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો. લાંબા સમયથી ચાલતા એકહથ્થા શાસનનું આ પરિણામ છે.
5). Kutch District Central Cooperative Bank Ltd. માં ₹35 કરોડનું ફેક લોન કૌભાંડ બહાર આવ્યું. નકલી સહકારી સંસ્થાઓ બનાવી ડમી સભ્યોના નામે લોન લઈ રકમનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો. નવા ડિરેક્ટરો આવ્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું.
6). Junagadh District Cooperative Bank Ltd. માં ₹2.57 કરોડનું કૃષિ લોન કૌભાંડ બહાર આવ્યું. ડિરેક્ટરો અને મેનેજરોએ મર્યાદા કરતાં વધુ લોન આપી અને કેટલાક કેસોમાં મંજૂરી વગર જ લોન આપવામાં આવી. લાંબા સમયથી ચાલતી મળતાવળનું આ પરિણામ છે.
7). Gujarat State Employees Co-operative Bank Ltd. માં ₹10 કરોડનું ગેરવહીવટ બહાર આવ્યું, જે ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું. શું વરાછા બેંકમાં ફોરેન્સિક ઓડિટ થયું છે?
😎. બેંક એકાઉન્ટનો દુરૂપયોગ કરી Money Laundering / Cyber Routing જેવા કિસ્સાઓ પણ સામે આવે છે. સુરતમાં ₹1550 કરોડ સુધીના સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે સ્વતંત્ર અને જવાબદાર ડિરેક્ટરો જરૂરી છે.
9). ઘણા બેંકોમાં મેનેજમેન્ટ લેવલ પર ગેરરીતિઓ થાય છે. કેટલીક સહકારી બેંકોમાં ડિરેક્ટરો/મેનેજમેન્ટ પોતાના સંબંધિત લોકોને ગેરરીતે લોન મંજૂર કરી ફાયદો આપે છે, જે બેંકની વિશ્વસનીયતા માટે ખતરનાક છે.
10). Diamond Jubilee Co-operative Bank Ltd. (સુરત) ફળચામાં જવાની પાછળનું મુખ્ય કારણ એ હતું કે યોગ્ય મિલકતની સુરક્ષા (જામીન) વગર ઓળખાણ ધરાવતા લોકો તથા એક રાજકીય નેતાને મોટી રકમની લોન મંજૂર કરવામાં આવી. ઓળખાણના કારણે સમયસર વસૂલાત પણ થઈ શકી નહોતી. લાંબા સમય સુધી એક જ ચહેરા અથવા ડિરેક્ટરો સત્તામાં રહેતાં હોય ત્યારે આવી ઘટનાઓ કોઈપણ સહકારી બેંકમાં બનવાની શક્યતા વધી જાય છે.
હાલમાં વરાછા બેંકમાં કોઈ મોટી ગેરરીતિ જાહેરમાં સામે આવી નથી. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી 2-3 ઉદ્યોગકારોની આંતરિક સમજુતીથી ડિરેક્ટરો નક્કી કરી “રિમોટ કંટ્રોલ”થી સંચાલન થતું હોવાની ચર્ચા છે. બેંક દ્વારા ચોક્કસ બિલ્ડરોને વારંવાર મોટી પ્રોજેક્ટ લોન આપવામાં આવે છે એવી પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક ડિરેક્ટરો દ્વારા બેંકનો અંગત હિત માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ પણ થાય છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન અટકાવવા માટે કેટલાક કર્મચારીઓ પણ પ્રયત્નશીલ હોવાનું જણાય છે.
“પરિવર્તન પેનલ”ના ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે, જે સહકારી લોકશાહીને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ અવસર છે.
આથી, દરેક સભાસદે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય અને લાયક ઉમેદવારને પસંદ કરવો જોઈએ, જેથી બેંકમાં સાચું પરિવર્તન, વિકાસ અને વિશ્વાસ સ્થાપિત થઈ શકે.
"તમારો મત – તમારી બેંકનું ભવિષ્ય નક્કી કરે છે."
12 મત આપવું ફરજિયાત નથી, તમે ફક્ત 6 મત આપી “પરિવર્તન પેનલ”ના 6 ઉમેદવારોને તમારી અવાજ બનાવી શકો છો.
*મોતીના હાર* ચૂંટણી 🗳️ ચિહ્ન ને મત આપી અપાવી વિજય બનાવો.
— સંજય ઇઝાવા (સામાજિક કાર્યકર્તા)