01/09/2026
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ‘સેવા સેતુ’ કાર્યક્રમના સુચારુ અમલીકરણ તથા વધુમાં વધુ નાગરિકોને તેનો લાભ મળે તે અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં નાગરિકોને રહેઠાણની નજીક અને તે જ દિવસે વિવિધ સરકારી સેવાઓ મળી રહે તે માટે ‘સેવા સેતુ’ અંગે વિસ્તૃત માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. કેમ્પમાં રજૂ થતી અરજીઓનો સકારાત્મક અભિગમ સાથે સ્થળ પર જ નિકાલ થાય, પાત્ર નાગરિકો યોગ્ય માર્ગદર્શનના અભાવે યોજનાકીય લાભોથી વંચિત ન રહે તથા જરૂરી પ્રમાણપત્રો અને મંજૂરીપત્રો સ્થળ પર જ ઈશ્યુ થાય તે સુનિશ્ચિત કરવા ભાર મૂકાયો. તેમજ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા વચ્ચે યોગ્ય સંકલન જાળવી કાર્યક્રમનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ નાગરિકોને ‘સેવા સેતુ’નો લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat
Gujarat Information Info Surendranagar GoG