14/03/2014
ગત તા.૧૧/૦૩/૨૦૧૪ ના રોજ કોંગ્રેસના રાજકુંવર (રાહુલ) સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકા ના અગરિયાઓના પ્રશ્નો સાંભળવા આવ્યા હતા, માત્ર ૩૦૦ વ્યક્તિઓ ના મર્યાદિત આમંત્રિત સમારંભ એક રાજકીય સ્ટંટ સાબિત થયો. અગરિયાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ એક પણ પ્રશ્ન નો રાહુલજી એ સંતોષ કારક જવાબ આપ્યો નહિ. આ વાત થી નારાજ થયી ને આજે સુરેન્દ્રનગર ભાજપા જીલ્લા કાર્યાલય ખાતે ૨૫૦૦૦ અગરિયાઓનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય આગેવાનો શ્રી નરેન્દ્રભાઈ મોદી ને પી.એમ. બનાવા સમર્થન આપી ભાજપા માં જોડાયા.