29/03/2021
કોરોના સંપૂર્ણ મટી શકે છે- જો તાત્કાલિક ઉપાય કરવામાં આવે તો...
Corona is Almost Curable- If identified immediately.
હાલ માં કોરોના ના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. હોસ્પિટલો માં જગ્યા રહી નથી ત્યારે દરેક વ્યક્તિ એ ખુબજ કાળજી રાખવાની જરૂર છે. માસ્ક પહેર્યા વિના કોઈની સાથે વાત કરવી નહી, વાત કરતી વખતે ૬ ફૂટ નું ડિસ્ટન્સ રાખવું.
કોરોના ની તુરંત સારવાર અને Home Isolation થી 98% થી વધુ દર્દીઓને આપણે ઝડપથી રોગ મુક્ત કરી શકાય છે. Covid 19 બીમારીને સરળતાથી નિયંત્રિત કરી શકીએ છીએ.
ડાયાબિટીસ ના દર્દીઓ એ વધુ કાળજી લેવી જોઈએ કારણકે તેમને complications થવાની વધુ શક્યતાઓ હોય છે.
પરંતુ સામાજિક અંતર ( Social Distance) અને ફેસ માસ્ક દ્વારા કોવિડ 19 નું ઇન્ફેક્શન રોકવું તે જ શ્રેષ્ઠ ઉપાય છે.
જો કોવિડ 19નો report positive હોય તો : -
શરીરનું તાપમાન (Temperature), તથા દર બે કલાકે ઓક્સિજન ના લેવલ ની ( SPO૨) નિયમિત તપાસ ઘરે જ કરવી જોઈએ.
જેવા કોરોના બીમારી ના લક્ષણો જેવા કે તાવ, માથું દુખવું, અશક્તિ લાગવી, શરદી થવી, ખાંસી વિગેરે ની શરૂઆત થાય એટલે તરતજ ડોક્ટર ની સલાહ લેવી પરંતુ ગભરાવવું નહી.
* સારવાર જલ્દી * તરતજ શરૂ કરો અને બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળો.
1) HCQS, મોન્ટલ્યુકાસ્ટ, એસ્પિરિન, સ્ટેટિન, આઇવરમેક્ટિન વિગેરે doctor ને પૂછી ને જ દવાઓ લેવી.
2) Tab Ivermectin 12 mg
તે એક અદભૂત, શક્તિશાળી એન્ટિવાયરલ, ખૂબજ સસ્તી ઉપયોગી દવા છે. તે પ્રોફીલેક્સીસ, તેમજ કોરોના રોગની સારવાર માટે છે.
3) ડોક્સી સાઇક્લીન
અથવા
Tab એઝિથ્રોમિસિન
4) દરરોજ Tab ઝિંકોનીયા / ઝિંક
5) Tab વિટામિન- સી 500 એમજી દરરોજ 1-0 -1
લીંબુ નું શરબત કે આમળા નો રસ પણ લઈ શકાય.
6) Tab પેરાસીટામોલ - જ્યારે જરૂરી હોય ત્યારે, તાવ માટે 650
7) Tab વિટામિન - ડી 3 60000 યુનિટ્સ દર અઠવાડિયે ઍક × 4 અઠવાડિયા
આ સરળ, સરળતાથી ઉપલબ્ધ અને સસ્તી દવાઓ છે.
8)ગરમ પાણીની વરાળનો નાસ ઇન્હેલેશન 2-3 વખત.
9) આદુ, હલ્દી, કાળા મિરચ્, તજ (તજ - દાલચિની), લવિંગ વગેરે નો આયુર્વેદિક ઉકાળા દિવસમાં એકાદવાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લઈ શકાય. ક્યારેય વધારે તેનો ઉપયોગ ના કરો.
બહારથી ઘરે પાછા ફર્યા પછી દિવસમાં 1 થી 2 વખત ગરમ પાણીનો ઇન્હેલેશન (નાસ) ખૂબ જ ઉપયોગી છે, તેથી અવગણવું ન જોઈએ ... તે કોરોના ચેપને રોકવામાં મદદ કરી શકે છે તથા કોરોના વાયરસ ને મોં , નાક તથા ગળામાં ના કોરોના વાયરસ ને મારી નાંખે છે
હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓની સ્થિતિ મુજબ અન્ય ઘણી ઉપચાર શરૂ કરવામાં આવે છે જેમ કે ડોકટરો દ્વારા
સ્ટીરોઈડ્સ, એસ્પિરિન, લો મોલેક્યુલર વેઇટ હેપરિન, એન્ટી વાઇરલ જેવા રીમ્ડેસિવીર, ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટીક્સ, આઇસીએલ -6 વિરોધી જેવા કે ટોસિલીઝુમબ, ઇટોલિઝુમાબ વગેરે.
90% કરતા વધારે દર્દીઓ માટે ઘર માં ISOLATE થવું શ્રેષ્ઠ છે. જેથી પોતાને બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ ન કરો અને બિનજરૂરી અને ઘણી વખત હાનિકારક સારવાર માં થી બચી શકાય.
Mediclaim છે એટલે હોસ્પિટલ માં દાખલ થવુ જ તેવી માનસિક બીમારી ( મન માં) રાખવાની જરુર નથી.
Home qurentine માટે -
દર્દીઓએ શરીરનું તાપમાન અને SPO2 (ઓક્સિજન સંતૃપ્તિ) ની નિયમિત તપાસ કરવી જોઈએ.
જો ઓક્સિજન નું લેવલ ૯૫-૯૬% કરતાં વધું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
દિવસ માં એક બે વાર 20 સેકંડ સુધી શ્વાસ રોક્યા પછી અથવા 6 મિનિટ ચાલવા પછી ઓક્સિજન લેવલ ને ચેક કરવું જોઈએ.
જો તે 94% ની નીચે આવે તો દર્દી એ Dr ની સલાહ લેવી જોઈએ અથવા અને શ્વાસ લેવામાં તકલીફ લાગે તો હોસ્પિટલમાં દાખલ થઈ ને વધુ સારવાર લેવા ની જરૂર પડે.
પરંતું શરૂઆત થીજ સારી સારવાર લેનાર દર્દી ઓ ને મોટે ભાગે હોસ્પીટલ માં દાખલ થવું પડતું નથી હોતું.
તાવ, માથાનો દુખાવો, નાકમાં ગંધ ન આવવી , નબળાઇ સામાન્ય રીતે અસ્થાયી અને શોર્ટ ટાઈમ માટે જ હોય છે. કેટલાક દર્દી ને તાવ, માથાનો દુખાવો 10 - 12 દિવસ સુધી પણ આવતો હોવાનું જોવામાં આવ્યું છે પરંતુ જો શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન હોય તો ( Breathing difficulty) અને SPO2 96% કરતા વધારે રહે છે તો વધારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ગંધ ના આવવી તે કઈ ગંભીર બીમારી નું લક્ષણ નથી.
ગભરાશો નહીં, જાતે બધા reports ના કરાવશો. પરીક્ષણો માટે ન જશો.
શરૂઆતમાં માત્ર સીબીસી અને સીઆરપી જરૂરી લોહી નાં પરીક્ષણો છે.
HRCT CHEST શરૂઆત માં કરાવવા ની જરૂર નથી.
જો શ્વાસ લેવામાં મુશ્કેલી, ઉધરસ, નબળાઈ લાગે અને ઓક્સિજન લેવલ ઓછું થવા માંડે તો એચઆરસીટી chest તાત્કાલિક કરાવવું જોઈએ અને તો હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી થઈ જાય.
સકારાત્મક રહો, સ્વસ્થ રહો ..
Stay positive , Stay healthy
ડૉ મયુર અડાલજા (એમડી)
9426022221