Info Vadodara GoG

Info Vadodara GoG Regional Information Office in Vadodara. Government of Gujarat.
सत्यमेव जयते

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનોની સમીક્ષા કરતા પ્રભારી સચિવ શ્રી પી. સ્વરૂપ સ્વચ્છતા અભિયાન, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભ...
04/06/2026

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનોની સમીક્ષા કરતા પ્રભારી સચિવ શ્રી પી. સ્વરૂપ

સ્વચ્છતા અભિયાન, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદે ૧૨ વર્ષના સુશાસન અભિયાન અને શાળા પ્રવેશોત્સવ બાબતે માર્ગદર્શક દિશાનિર્દેશ



CMO Gujarat Harsh Sanghavi

સતત આઠ ટર્મ સુધી ધારાસભ્ય રહેનારા વડોદરાના વરિષ્ઠ અગ્રણી શ્રી યોગેશભાઇ પટેલનું અવસાન થતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ ...
04/06/2026

સતત આઠ ટર્મ સુધી ધારાસભ્ય રહેનારા વડોદરાના વરિષ્ઠ અગ્રણી શ્રી યોગેશભાઇ પટેલનું અવસાન થતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પૂર્વ મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ સદ્દગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

03/06/2026

સાવિત્રી એનજીઓના માધ્યમથી મહારાજા પ્રતાપ નગર પ્રાથમિક શાળાના બાળકો બન્યા છે ‘બચ્ચા ફાર્મર’

શાળાની અંદાજીત ૧૨૦૦ ચો. મી. જગ્યામા બાળકો પોતાના હાથે અવનવા શાકભાજી અને ફળફળાદીની વાવણી કરી માવજત કરે છે

'મિશન ગ્રીન સ્કૂલ” પહેલ હેઠળ સ્કૂલના બાળકોની ટીમ ‘ગ્રીન આર્મી’ તરીકે ઓળખાય છે

બાળકોને નાનપણથી જ શાકભાજી ફળ ઉગાડી ભોજનની પ્લેટ સુધી લાવવામા લાગતી મહેનતથી અવગત કરવામાં આવે છે

શાળાના બાળકોમાં અન્નના એક એક દાણા પ્રત્યે આદર અને સંવેદનશીલતા કેળવાઈ છે - સાવિત્રી સોશિયલ ફાઉન્ડેશન શ્રીમતી રીના રાજ રસ્તોગી

03/06/2026

વડોદરા શહેરમાંથી ગેરકાયદે રહેતા સાત વિદેશી નાગરિકો અંગે પોલીસ દ્વારા થતી તપાસ અંગે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમરનું નિવેદન

પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા, રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવા, ગુજરાતની ગરિમાથી ...
03/06/2026

પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા, રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવા, ગુજરાતની ગરિમાથી લોકોને અભિમુખ કરવા તથા લોક કલ્યાણ અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નાગરિકોની એકતા કાયમ રહે, સામૂહિક વિકાસને પ્રોત્સાહન મળે તથા વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોકસહભાગિતા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

વિકસિત ભારતના સંકલ્પને લોકસહભાગિતા પ્રાપ્ત થાય અને છેવાડાના માનવીને આ સંકલ્પોમાં ભાગીદાર બનાવી શકાય તે માટે વડોદરા જિલ્લા સહિત દરેક જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી તા.૦૮ થી ૧૪ જુન, ૨૦૨૬ દરમિયાન જિલ્લા સ્તરે પ્રબુદ્ધ સંમેલન યોજાશે.

આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાતો “બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણ" ના વિષય પર અલગ અલગ મુદ્દાઓને આવરી વક્તવ્ય આપશે. કાર્યક્ર્મમા વિવિધ પ્રતિષ્ઠિત લોકો, પદ્મશ્રી એવોર્ડ વિજેતા,પદાધિકારીઓ તેમજ અન્ય સન્માનનીય લોકો ઉપસ્થિત રહેશે. વડોદરા જિલ્લામાં કાર્યક્રમના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા કક્ષાની સમિતિની રચના કરી સમિતિને સંલગ્ન કામગીરી સોંપવામાં આવી છે.



CMO Gujarat Gujarat Information Harsh Sanghavi

02/06/2026

વર્ષ ૨૦૧૭ થી, કામધેનુ સેવાસંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા દેશી ગાયોના રક્ષણ, સંરક્ષણ અને સેવા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. ગૌશાળાએ અત્યાર સુધીમાં લગભગ ૮૭ પશુઓને આશ્રય આપ્યો છે, જેમાં ત્યજી દેવાયેલી ગાયો, કતલખાનાઓમાંથી બચાવેલા પશુઓ, વૃદ્ધ, બીમાર અને અપંગ ગૌવંશનો સમાવેશ થાય છે. હાલમાં, સમર્પિત ગૌ સેવા દ્વારા ૨૫ ગાયો અને બળદોની સંભાળ રાખવામાં આવી રહી છે, જે ભારતના સ્વદેશી ગાય વારસાને જાળવવા અને પ્રાણીઓ પ્રત્યે કરુણાને પ્રોત્સાહન આપવાના મજબૂત પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.

આ ગૌ સંરક્ષણને ટકાઉ ખેતી સાથે જોડી એક અનોખી પહેલ હાથ ધરી છે જેમા ગૌશાળા ઓર્ગેનિક ખાતર અને ગૌમૂત્ર જેવા ગાય આધારિત સંસાધનો બનાવી કુદરતી ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપે છે. રાસાયણિક મુક્ત કેરીની ખેતીને ટેકો આપવા માટે ખેડૂતોને કુદરતી ગાયના છાણનું ખાતર મફતમાં આપવામાં આવી રહ્યું છે. તેની ખાસ પહેલ “વડોદરાની કેસર” હેઠળ, ટ્રસ્ટ વધુ પડતા રાસાયણિક ઇનપુટ્સને બદલે પરંપરાગત અને ગાય આધારિત ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતી કુદરતી રીતે ઉગાડવામાં આવતી કેસર કેરીને પ્રોત્સાહન આપે છે. આ પહેલ દેશી ગાયો પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવામાં અને સ્વસ્થ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે દર્શાવે છે.

તેઓ કુદરતી રીતે ઉગાડવામાં આવતી કેરીઓ ભારતના વિવિધ શહેરો અને આફ્રિકા, દુબઈ અને અન્ય દેશોમાં વેચે છે. "વડોદરાની કેસર" કેરીના વેચાણમાંથી મળતી આવકનો ઉપયોગ ગૌશાળામાં ગૌમાતા માટે ચારો, દવાઓ, પાણી અને આશ્રય માટે થાય છે. ટ્રસ્ટ માટે, આ પહેલ ફક્ત કેરીનો વ્યવસાય નથી પરંતુ ગૌ સેવા, ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિ આધારિત ખેતીને જીવંત રાખવાનું એક મોટું મિશન છે. આ મોડેલ દ્વારા, ગૌશાળાનો હેતુ કૃષિ, સમાજ અને ગાય સંરક્ષણ વચ્ચે ટકાઉ જોડાણ બનાવતી વખતે દેશી ગાયોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.

વડોદરા જિલ્લામાં નિવૃત્ત થયેલા ૧૦૫ શિક્ષકોનું પેન્શન એક જ દિવસમાં મંજૂર કરાયું નિવૃત્તિના દિવસે જ પેન્શન સંબંધિત તમામ દસ...
01/06/2026

વડોદરા જિલ્લામાં નિવૃત્ત થયેલા ૧૦૫ શિક્ષકોનું પેન્શન એક જ દિવસમાં મંજૂર કરાયું

નિવૃત્તિના દિવસે જ પેન્શન સંબંધિત તમામ દસ્તાવેજો અર્પણ કરી વડોદરાનીરાજ્યમાં પ્રથમ પ્રકારની અનોખી પહેલ

વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૩૦થી ૩૫ વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ૧૦૫ નિવૃત્ત શિક્ષકોના સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ શહેરની અંબે વિદ્યાલયના સભાખંડમાં યોજાયો હતો. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોને પુષ્પગુચ્છ, દિનચર્યા નોંધપોથી, પંચાંગ, સન્માનપત્ર તેમજ પેન્શન સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો નિવૃત્તિના દિવસે જ અર્પણ કરવામાં આવ્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ એમ. પાંડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૩૧ મેના રોજ નિવૃત્ત થયેલા તમામ ૧૦૫ શિક્ષકોને આગામી ૧ જુલાઈથી નિયમિત પેન્શન મળવાનું શરૂ થઈ જશે. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે પેન્શનરોને પેન્શન સંબંધિત કામગીરી માટે કચેરીના ધક્કા ખાવા નહીં પડે અને દર મહિને પગારની જેમ જ સમયસર પેન્શન જમા થશે.

આ કાર્યક્રમમાં નિવૃત્ત થતાં શિક્ષકો, તેમના પરિવારજનો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત શિક્ષકોએ આ પહેલને આવકારતા કચેરીની સુવ્યવસ્થિત અને સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરી હતી. નિવૃત્ત થયેલા શિક્ષકોમાં ૫૫ પ્રાથમિક અને ૫૦ માધ્યમિક શાળાઓના શિક્ષકોનો સમાવેશ થતો હતો. રાજ્યમાં જિલ્લા કક્ષાએ આ પ્રકારની સૌથી મોટી અને અનોખી પહેલ તરીકે આ કાર્યક્રમ નોંધપાત્ર રહ્યો હતો.

પ્રસંગ દરમિયાન નિવૃત્ત શિક્ષકોને નિવૃત્તિ બાદ મળનારી રકમના યોગ્ય આયોજન, બચત અને રોકાણ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાની બે શ્રેષ્ઠ સરકારી શાળાઓના શિક્ષકો શ્રી મિતુલભાઈ ગોસ્વામી (ઇન્દ્રાડ ઉચ્ચતર માધ્યમિક શાળા) અને શ્રીમતી મીતાબેન જાદવનું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ એમ. પાંડેના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

અંબે વિદ્યાલયના આચાર્ય શ્રી પરેશભાઈ શાહે કાર્યક્રમ માટે સંસ્થાનો સભાખંડ ઉપલબ્ધ કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મેહુલભાઈ પારેખે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

31/05/2026

GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન અમલીકરણ કરવામાં આવે છે. જેના દ્વારા સ્વ સહાય જૂથ ઉભા કરીને ગ્રામીણ અને ગરીબ પરિવારને સ્વરોજગાર અને કૌશલ્ય આધારિત રોજગારીની તકો પૂરી પાડે છે અને ટકાઉ આજિકા ઊભી કરે છે તેમજ મહિલાઓના આર્થિક અને સામાજિક શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વડોદરા જિલ્લા અને તાલુકામાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા વિવિધ પ્રકારના એસ.એસ.જીના અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જે સખી મંડળો, સ્વ સહાય જૂથોને વિવિધ આર્થીક સંસાધનો તથા તાલીમો થકી તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે.

વડોદરાના ઈટોલામાં આવેલી સ્નેહ સખી મંડળની ૧૦ મહેનતુ બહેનો આજે GLPCના સહકારથી મહિલા સશક્તિકરણનું સુંદર ઉદાહરણ બન્યો છે. આ મંડળના એક સભ્ય સુમિત્રાબેન બારોટની જીવનગાથા ખરેખર જાણવા જેવી છે.

સુનીતાબેન જે છેલ્લા ત્રણ વર્ષથી મંડળમાં જોડાયા છે. શરૂઆતમાં તેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જેઓ બીજાના ઘેર કામ કરીને ગુજરાત ચલાવતા હતા. કોઈપણ પ્રકારની બચત કરી શકતા ન હતા. પૈસાની જરૂર પડતી તો પણ લેણદારો પાસેથી લઈને વ્યાજ સાથે પૈસા પાછા આપતા હતા. આ પરીસ્થીતિમાંથી નીકળવા તેઓ એનઆરએલએમની સખી મંડળમાં જોડાયા અને જોડાયા બાદ તેઓ દર મહિને ૧૦૦ રૂપિયાની બચત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધીરે-ધીરે તેઓ બચતમાં વધારો કરીને ૨૦૦ રૂપિયાની બચત કરતા થયા. આમ તેઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો અને એકબીજાના સહકાર થકી તેમને ઠંડા શરબત બનાવવાની કામગીરી શરૂ કરી હતી.

આજે તમામ બેહેનોના સહકારથી ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડક અને સ્વાદ આપતા ખાસ પરંપરાગત ઠંડા પીણાં તૈયાર કરી વેચાણ કરે છે. જેના કારણે પોતે પગભર બન્યા અને પોતાના મંડળની તમામ બહેનોને પણ આર્થીક રીતે સધ્ધર બનાવી શક્યા છે. તાજગીભર્યા પીણાંની સાથે તેઓ સ્નેહ સખી મંડળ આત્મવિશ્વાસ, મહેનત અને સ્વાભિમાનનો પણ સ્વાદ પીરસી રહ્યા છે.

સુમિત્રાબેનએ આ અંગે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના ઇટોળા ગામમા અમે છેલ્લા ૩ વર્ષથી સ્નેહ સખી મંડળ ચલાવીએ છીએ. ઘરની જેમ અમે બધાએ સાથે મળી ઠંડાપીણા, શરબત બનાવવાનો વેપાર શરૂ કર્યો હતો. અમે વિવિધ પ્રકારના ફ્લેવરના શરબત બનાવીએ છીએ વરીયાળી, બ્લ્યુ બેરી, કોકમ, કાળી દ્વાક્ષ, કાજુ અંજીર, ખુસ, કેસર પિસ્તા, કેસર બદામ, લીચી, નેચરલ-આદુ લીંબુ ફુદિનો, અને સાથે સાથે અમે સીઝનલ ફ્રુટસ, ફુલો અને આયુર્વેદિક શરબત પણ બનાવીએ છીએ. આ તમામ શરબતમાં અમે ખડીનો ઉપયોગ કરીએ છીએ.

સખી મંડળની બહેનો સાથે મળીને આ તમામ સામગ્રીઓ વડે શરબત તૈયાર કરે છે અને હુ ખાસ કરીને શરબતના વેચાણ માટે મેળાઓમા જાઉ છું. બહેનો એકમેકના સહયોગથી આ પ્રમાણે આગળ વધી રહી છે. આ સિવાય અથાણા પાપડનો પણ ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ છીએ. GLPC દ્વારા અમને મેળાઓ માટે ફ્રીમા સ્ટોલ ફાળવવામાં આવે છે. જેથી મેળાઓમા પણ સારી આવક થાય છે. મેળાઓ અને ઘરથી વેચાણ કરી અમે વર્ષે અંદાજીત ૧૨ થી ૧૫ લાખની આવક મેળવીએ છીએ. આજે સખી મંડળના કારણે જ હુ મારા પરીવારને આર્થીક સંકળામણમાંથી ઉગારી શકી છું. જેના માટે હું સરકારશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, NRLM અને GLPCની ખુબ ખુબ આભારી છું.

સુમિત્રાબેનની જીવન કથા અન્ય માટે પણ ખુબ જ પ્રેરણાદાયી છે કે કઇ રીતે સખી મંડળ ગ્રામ્ય જીવનની દુ:ખ અને તકલીફથી ભરેલી ગાથાને સફળગાથામા ફેરવી શકે છે. સ્નેહ સખી મંડળ આજે વડોદરામાં અન્ય સખી મંડળોને પણ પ્રોત્સાહન આપે છે જ્યા ત્રણ વર્ષ પહેલા ઘર કામ કરતા બહેન આજે લખપતિ દીદી તરીકે ઓળખાય છે.

30/05/2026

વડજની વાવના ઇતિહાસ અને તેની અગત્યતા અંગે શ્રી વીરેન્દ્રભાઈ પંચાલ સાથે ખાસ વાતચીત.

Address

Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Info Vadodara GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Vadodara GoG:

Share