Pustak Parab Valsad

Pustak Parab Valsad Pustak Parab, Valsad

સૌને નમસ્કાર �
������
* પુસ્તક પરબ વલસાડ એપ્રિલ 2022 થી
દર મહિનાના

🇮🇳સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳પુસ્તકોને વંદન… વાંચનને નમન… અને સ્વાતંત્ર્યને સલામ! 📚🇮🇳કેટલાક સન્માન માત્ર સન્...
15/08/2026

🇮🇳સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳

પુસ્તકોને વંદન… વાંચનને નમન… અને સ્વાતંત્ર્યને સલામ! 📚🇮🇳

કેટલાક સન્માન માત્ર સન્માન નથી હોતા…
એ આપણી વર્ષોની નિષ્ઠા, સંકલ્પ અને સેવાભાવને મળેલી એક સુંદર સ્વીકૃતિ હોય છે.
આઝાદીના પાવન પર્વે વલસાડ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભવ્ય કાર્યક્રમમાં પુસ્તક પરબ, વલસાડને પુસ્તકપ્રેમ અને વાંચનપ્રવૃત્તિ માટે મળેલું સન્માન અમારા સૌ માટે એવી જ એક ગૌરવપૂર્ણ અને ભાવસભર ક્ષણ બની રહી. 📚🙏

ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે સન્માન પ્રાપ્ત થયું. પુસ્તક પરબનું સન્માન સાથે; આ સન્માન એ તમામ વાચકો, દાતાશ્રીઓ, સહયોગીઓ, સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓનું સન્માન છે, જેમણે પુસ્તક પરબની આ યાત્રામાં પોતાનો પ્રેમ અને સહયોગ આપ્યો છે.
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી જિતુભાઈ ચૌધરી, મા. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખશ્રી ડૉ. હેતલબેન પટેલ,વલસાડ જિલ્લાના કલેક્ટર માનનીય સાંગવાન સાહેબ, DEO ડૉ. રાજશ્રી ટંડેલ તથા અનેક અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ સાથે જ શિક્ષણજગતના વિદ્વાનો, સામાજિક કાર્યકરો, રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, પત્રકારશ્રીઓ તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ઉષ્મા આપી હતી. વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી એક માહોલ બનાવ્યો. જેને ઉપસ્થિત સૌએ માણ્યો.
આ પ્રસંગે પુસ્તક પરબ, વલસાડ તરફથી ડૉ. આશા ગોહિલ, શ્રી હાર્દિક પટેલ, શ્રી મનિષ પરમાર અને શ્રી દીપક મર્ચન્ટ ઉપસ્થિત રહી આ સન્માન સ્વીકાર્યું હતું.😊🙏
📚 23 એપ્રિલ, 2022 — વિશ્વ પુસ્તક દિવસથી શરૂ થયેલી એક સફર…
એક વિચારથી શરૂ થયેલી આ યાત્રા આજે એક મુકામ પર પહોંચી છે.
દર મહિનાના પ્રથમ રવિવારે વલસાડમાં બે જાહેર સ્થળોએ યોજાતા પુસ્તક પરબમાં વાચકોને નિઃશુલ્ક પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આજે પુસ્તક પરબ 17,000 જેટલાં પુસ્તકોના ભંડારથી સમૃદ્ધ બન્યું છે અને અત્યાર સુધીમાં 11,000થી વધુ પુસ્તકો વાચકો સુધી પહોંચ્યાં છે.
પરંતુ પુસ્તક પરબની સફર માત્ર પુસ્તકો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાથી આગળ વધુ એક... છોગું પણ છે :
📖 **‘પુસ્તક વાંચનરસિયાઓ’**વિવિધ સ્થળોએ જઈ પુસ્તકો વિશે વાતો કરે છે. અત્યાર સુધીમાં 56 મણકા યોજાઈ ચૂક્યા છે અને 250થી વધુ પુસ્તકો પર સંવાદ થઈ ચૂક્યો છે.

🏫 24થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં નાનકડી લાઇબ્રેરીઓ ઊભી કરવાનો પ્રયાસ થયો છે.

📚 તિથલમાં ‘કિતાબ અડ્ડા’ નામે નાનકડું બુક હાઉસ ઊભું કરવામાં આવ્યું છે—જ્યાં પુસ્તકો મૂકવામાં આવે છે અને જેને વાંચવું હોય તેઓ પુસ્તક લઈ જઈ શકે છે.
વલસાડમાં વિવિધ સાહિત્યિક કાર્યક્રમો, પુસ્તક પરિચય, વક્તવ્યો અને વિચારગોષ્ઠીઓનું આયોજન કરીને વાંચન અને વિચારની સંસ્કૃતિને જીવંત રાખવાનો સતત પ્રયાસ પણ થઈ રહ્યો છે.
આ સમગ્ર યાત્રામાં જોડાયેલા દાતાશ્રીઓ, સહયોગીઓ, સાહિત્યપ્રેમીઓ અને વાચકોનો અમૂલ્ય સહયોગ મળ્યો છે.
આ સન્માનની ક્ષણે સૌનો હૃદયપૂર્વક આભાર. 🙏
આ પુસ્તક પરબ આપણું સૌનું છે…
અને આ સફર પણ આપણા સૌની છે.

🇮🇳 જય હિંદ!
📚 વાંચીએ… વંચાવીએ… અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ.
પુસ્તક પરબ, વલસાડની આ અવિરત સફર આપ સૌ સાથે... 📚❤️
તા. 15/08/2026
#સ્વાતંત્ર્યપર્વ #પુસ્તકપરબ #પુસ્તકપરબવલસાડ #વાંચનસંસ્કૃતિ #પુસ્તકપ્રેમ #વાંચીએવંચાવીએ #જયહિંદ #વલસાડ #પુસ્તકો #સાહિત્ય #જ્ઞાન

📚🌿 પુસ્તક પરિચયનો 56મો મણકો : ખોબાની ધરતી પર પુસ્તકથી જીવન સુધીની યાત્રા...સવારથી જ મનમાં એક વિશેષ ઉત્સાહ હતો. ગંતવ્ય હત...
13/08/2026

📚🌿 પુસ્તક પરિચયનો 56મો મણકો : ખોબાની ધરતી પર પુસ્તકથી જીવન સુધીની યાત્રા...
સવારથી જ મનમાં એક વિશેષ ઉત્સાહ હતો. ગંતવ્ય હતું—ખોબા!
વલસાડથી લગભગ ૮૫ કિલોમીટર દૂર, ગુજરાતના છેવાડે આવેલું નાનકડું ગામ ખોબા. કદમાં નાનું, પરંતુ સેવાભાવ, સંવેદના, શિક્ષણ, પ્રકૃતિ અને માણસાઈની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ.
📚📕
‘પુસ્તક પરિચય’ના 56મા મણકાને ગૂંથવા માટે અમારી સફરની શરૂઆત ધરમપુરથી થઈ.

આ સફરમાં પારડીથી ડૉ. રામચંદ્ર જોશી અને વૈશાલીબેન પરિવાર સાથે તો. બીલીમોરાથી દીપકભાઈ, ચીખલીથી હિતેશભાઈ અને ટીના પરિવાર સાથે જોડાતા ગયા. વલસાડથી જેન્તીભાઇ, જ્યોત્સ્નાબેન, નીલિમાબેન, ભીખુભાઈ ભાવસાર સહિત અનેક મિત્રો પણ સહયાત્રી બન્યા. ડુંગરીથી કેયુરભાઈ રોહિત પરિવાર સાથે...

ધરમપુરથી પ્રીતિબેન, વંદનાબેન, હાર્દિકભાઈ તેમના પૂજ્ય મમ્મી શિલ્પાબેન સાથે આવ્યા. ચેતનાબેન ચૌહાણ પોતે ઉપસ્થિત ના રહી શક્યા તો વિદ્યાર્થીઓ માટે નાનકડી ભેટ લઈને જોડાયા !! ઉપયોગી વસ્તુઓ જોઈ બાળકોને ખૂબ આનંદ થયો.

📖 એક વિચારબીજમાંથી શરૂ થયેલી પુસ્તકયાત્રા...

‘પુસ્તક પરિચય’નું વિચારબીજ શ્રી નીલમભાઈ પટેલ, ડૉ. આશા ગોહિલ અને શ્રી હાર્દિક પટેલનું . એક વિચારમાંથી શરૂ થયેલી આ યાત્રા આજે મણકા પર મણકા ગૂંથતી આગળ વધી રહી છે અને તેનો 56મો મણકો ખોબાની ધરતી પર ગૂંથાયો.
આ મણકાના યજમાન બન્યા શ્રી નીલમભાઈ પટેલ અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ.

ખોબા : સેવાની કર્મભૂમિ
ખોબામાં શ્રી નીલમભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને સાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં સેવાયજ્ઞ ચલાવી રહ્યું છે.
ગુજરાત વિદ્યાપીઠમાંથી ગ્રામશિલ્પીની તાલીમ લઈને વલસાડથી ૮૫ કિલોમીટર દૂરના આ અંતરિયાળ વિસ્તારમાં આવીને નીલમભાઈએ પોતાની કર્મભૂમિ બનાવી. સામાન્ય માણસ માટે જે પરિસ્થિતિઓમાં જીવન જીવવું અને કાર્ય કરવું મુશ્કેલ બની શકે, તેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે સેવાકાર્યની જ્યોત પ્રગટાવી રાખી છે. તેમની સાથે જોડાયેલા અનેક સેવાભાવી માણસો, સંસ્થાઓ અને દાતાશ્રીઓએ પણ આ સેવાયજ્ઞને સતત સાથ આપ્યો છે . પરિણામે નીલમભાઈએ ખોબાને પોતાની કર્મભૂમિ બનાવીને તેને એક વિશાળ ફલક પર મૂકવાનું કામ સુપેરે કર્યું છે.
📚 પુસ્તક પરિચય : કૃતિથી વિચાર સુધી..
આ પ્રસંગે ડૉ. આશા ગોહિલે કનૈયાલાલ મુનશીની ‘પૃથિવીવલ્લભ’ કૃતિ વિશે વાત કરી. કૃતિના સંદર્ભ સાથે ગાંધીજી અને કનૈયાલાલ મુનશી વચ્ચેના પત્રવ્યવહારની વાત પણ તેમણે રજૂ કરી. સાહિત્યકૃતિને તેના ઐતિહાસિક સંદર્ભો સાથે સમજાવતી તેમની વાત રસપ્રદ રહી.
શ્રી દીપકભાઈ મર્ચન્ટે ગુર્જયેફ અને તેમના પુસ્તક વિશે વાત કરી. સાથે જે .કૃષ્ણમૂર્તિ અને ઓશોના વિચારોને પણ સુંદર રીતે વણી લીધા. હંમેશા તેમની વાત સાંભળવી એ એક લ્હાવો રહ્યો છે.
ત્યારબાદ ડૉ. રામચંદ્ર જોશીએ ‘માલગુડી ડેઝ’નો સુંદર પરિચય કરાવ્યો. માલગુડીના પાત્રો, ગામજીવન, ભારતને જોવા અને સમજવા આવતા લોકો તથા પ્રવાસીઓની વાતોને તેમણે એવી સુંદર રીતે વણી લીધી કે જાણે માલગુડીનું આખું ચિત્ર આપણી સામે જીવંત થઈ ગયું.
👧👦 બાળકો સાથેનો સૌથી સુંદર સંવાદ... વંદનાબેને ( ભેંસધરા હાઈસ્કૂલ) ' એક પિતાનો- માફી પત્ર ' પુસ્તક વિશે વાતો કરી. જે ખૂબ રસપ્રદ બની રહી.
સાર્થક અને હાર્વીએ ખોબાના વિદ્યાર્થીઓ સમક્ષ પુસ્તકો વિશે વાત કરી. આરુષે વાર્તાઓ કહી સંભળાવી. પરંતુ વાત એકતરફી રહી નહીં. અમારા બાળકોને જોઈને ખોબાના વિદ્યાર્થીએ પણ ઉત્સાહપૂર્વક પોતાની વાર્તા કહી સંભળાવી.
અમે બાળકોને કંઈક કહેવા ગયા હતા, પરંતુ બાળકો પાસેથી પણ કંઈક શીખીને પાછા ફર્યા. અને આ સમગ્ર પ્રસંગમાં ડૉ. રામચંદ્ર જોશી બાળકોની સાથે બાળક બની રહ્યા. બાળકોને શીખવવાની સાથે તેમની દુનિયાને સમજવી અને તેમની સાથે સહજતાથી જોડાવું—આ પણ શિક્ષણ છે.
ભીખુભાઈ 144 વખત રક્તદાન કરી ચૂક્યા છે અને અનેક રક્તદાન કેમ્પોના આયોજન સાથે જોડાયેલા રહ્યા છે. તેમની સેવાભાવનાની આ યાત્રા પણ પ્રેરણાદાયી છે.
આ ઉપરાંત શિલ્પા,કલ્પના, હંસાબેન, નરેશભાઈ, સીમા ભટ્ટાચાર્ય, હાર્મીનભાઈ, હેમંતભાઈ, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમની હાજરીએ કાર્યક્રમને સુંદર ઓપ આપ્યો.
🍲 નીલમભાઈ ,અજયભાઈ સાથે રસોઈમાં રામ જોશી વૈશાલીબેન તથા ટીમના અન્ય સભ્યો રસોઈમાં મદદ કરવા જોડાયા. રવિવારે વલસાડથી આવેલા હિમેનભાઈએ રસોઈમાં જોડાઈને થોડા જ સમયમાં સરસ મજાની બટાકાની ભાજી બનાવી અને સૌને પ્રેમથી જમાડી.
નીલમભાઈનું આતિથ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું.
તેમનો પ્રેમભર્યો આવકાર, સાદગી ને પોતાના માણસની જેમ સ્વીકારવાની ઉષ્મા—કેટલાક ગુણો એવા હોય છે જેને શબ્દોમાં વર્ણવવા કરતાં અનુભવવા પડે.
અંતરિયાળ પ્રદેશના છેવાડાના ગામમાં જઈને દૃઢતાપૂર્વક ઊભા રહેવું અને ત્યાંથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પર્યાવરણ તથા સમાજસેવાનું કાર્ય ઊભું કરવું સહેલું નથી.
🌧️🌊 પુસ્તકની સાથે પ્રકૃતિનું પણ વાંચન...
ચોમાસાની ઋતુમાં ખોબાની પ્રકૃતિનું સૌંદર્ય અદભુત હતું.
ખોબામાંથી વહેતી સોનાઈ નદી અને સામે મહારાષ્ટ્રની હદ તરફની ધરતી—આ સમગ્ર વિસ્તાર પ્રકૃતિની વિશિષ્ટ ભેટ છે. વરસાદી મોસમમાં વહેતા બે ધોધ—મંગલ ધોધ અને ‘નીલમ ધોધ’—પુસ્તક પરિચયના મિત્રો માટે વિશેષ આકર્ષણ બન્યા.
મંગલ ધોધ સુધી જઈ સૌ ધોધમાં ન્હાવાનો ભરપૂર આનંદ માણ્યો.
પુસ્તકો વિશે વાતો તો થઈ જ, પરંતુ સાથે વૃક્ષોનો , ખેતીનો પણ એક વિશેષ પરિચય થયો, ગામનો , ગ્રામજનોનો પરિચય થયો, બાળકોનો અને સેવાભાવનો પરિચય થયો.
અમે પુસ્તકનો પરિચય કાર્યક્રમ લઈ ખોબા ગયા હતા,
પણ ખોબાથી પાછા ફરતાં જીવનનો પરિચય લઈને આવ્યા.ખોબાની ધરતી પર ગૂંથાયેલો આ પુસ્તક પરિચયનો 56મો મણકો અમારી સમગ્ર યાત્રામાં એક વિશેષ અને અવિસ્મરણીય સંભારણું બની રહેશે.
ખોબા અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલ છેવાડાનું નાનકડું ગામ. જ્યાંથી વિશાળ હૃદયની વાતો અને અઢળક સંસ્મરણો ભરી લઈ આવ્યા! 🌿📚❤️

#પુસ્તકપરિચય #પુસ્તકપરબ #56મોમણકો #ખોબા #લોકમંગલમ #વાંચનસંસ્કૃતિ #સેવાયજ્ઞ #સાહિત્ય #પ્રકૃતિ તા. 08/08/2026,09/08/2026

📕📚પુસ્તક પરબ, વલસાડના 53મા મણકામાં 407 પુસ્તકો વાચકો સુધી પહોંચ્યાં..બાળકોમાં વધતો વાંચનપ્રેમ અને યુવાનોમાં ઘટતો સ્ક્રીન...
06/08/2026

📕📚પુસ્તક પરબ, વલસાડના 53મા મણકામાં 407 પુસ્તકો વાચકો સુધી પહોંચ્યાં..
બાળકોમાં વધતો વાંચનપ્રેમ અને યુવાનોમાં ઘટતો સ્ક્રીન ટાઇમ બન્યા પુસ્તક પરબની વિશેષ ઉપલબ્ધિ...
દર મહિનાના પ્રથમ રવિવારે વલસાડ શહેરમાં સર્કિટ હાઉસની બાજુમાં તથા અબ્રામા ખાતે ક્રોમા સેન્ટરની બહાર એમ બે જાહેર સ્થળોએ નિયમિત યોજાતું 'પુસ્તક પરબ, વલસાડ' ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે 53મા મણકા સાથે સફળતાપૂર્વક યોજાયું. પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, શ્રી હાર્દિક પટેલ તથા પુસ્તક પરબ, વલસાડની સમગ્ર ટીમના સુચારુ આયોજનથી યોજાયેલા આ પુસ્તક પરબમાં કુલ 407 પુસ્તકો વાચકો વાંચવા માટે લઈ ગયા.

આ વખતે ખાસ કરીને બાળકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. નાનાં બાળકોમાં વાંચન પ્રત્યેનો ઉત્સાહ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ખૂબ ખુશીની વાત ...😀👌
વાલીઓએ જણાવ્યું કે, તેમના બાળકો રવિવારે વહેલી સવારે જાગીને પુસ્તક પરબમાં જવાની આતુરતા વ્યક્ત કરે છે. બાળકોમાં વિકસતી આ વાંચનની ટેવ પુસ્તક પરબના હેતુને સાચા અર્થમાં સફળ બનાવી રહી છે.

પુસ્તક પરબમાં પુસ્તકો લઈ જનાર વાચકોમાં નીરવ શાહ, સંજય પટેલ, આર્યન મહેતા, અશોક દેસાઈ, રાજુ દેસાઈ, મિલન ડોબરીયા, વિજય પટેલ, હર્ષ દેસાઈ, ચંદ્રિકા પટેલ, જ્યોતિ પટેલ, પાયલ યાજ્ઞિક, મિતાંગ રાવલ, દિનેશ સોની, વર્ષા પટેલ, મુદ્રાક્ષા ભટ્ટ, નક્ષી શાહ, સાગર પટેલ, જૈમીન જરીવાલા, પ્રતિક પટેલ, શિવકુમાર સિંહ, પીનલ પટેલ, હિરેન માલધરીયા, સંદીપ પરમાર, ગીતા પટેલ, અમિતા પટેલ, વિપુલ પટારા, રાજેન્દ્ર પટારા, શકુંતલા પટેલ અને જતીન ભગત સહિત અનેક પુસ્તકપ્રેમીઓનો ઉત્સાહભેર સહભાગ રહ્યો હતો.
એક ખુશીની વાત આપ સૌ સાથે....😀
વાચકોએ એ પણ જણાવ્યું કે , પુસ્તક પરબના કારણે હવે તેમને પોતાની પસંદગીનાં પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યાં છે. અગાઉ રજાના દિવસે જે સમયનો મોટો ભાગ મોબાઇલમાં પસાર થતો હતો, તે હવે પુસ્તક વાંચનમાં પસાર થાય છે. પરિણામે સ્ક્રીન ટાઇમમાં ઘટાડો થયો છે અને વાંચનની સુંદર ટેવ વિકસી રહી છે.👌👍

પુસ્તકો જ્ઞાન, વિચારશક્તિ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ માટે બહુ ઉપયોગી છે....આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને 'પુસ્તક પરબ, વલસાડ' છેલ્લા 53 મહિનાથી દર મહિનાના પ્રથમ રવિવારે નિઃશુલ્ક પુસ્તક આપ-લે દ્વારા સમાજમાં વાંચનની સંસ્કૃતિને મજબૂત બનાવવાનું કાર્ય કરી રહ્યું છે.
આ અભિયાનને સફળ બનાવવા માટે પુસ્તક પરબ, વલસાડની સમગ્ર ટીમ, પુસ્તકદાતાઓ, સ્વયંસેવકો અને વલસાડના પુસ્તકપ્રેમીઓનો સતત સહયોગ મળી રહ્યો છે.

– ડૉ. આશા ગોહિલ
વલસાડ. તા.02/08/2026

31/07/2026

સૌને નમસ્કાર 🙏
📘📙📕📗📚📖
પુસ્તક પરબ, વલસાડનો 53 મો મણકો ☔🌧️🌈
ઑગસ્ટ મહિનાનો પહેલો રવિવાર
તા.02/08/2026
સમય:સવારે 7.30થી 9.30
*પુસ્તક પરબ* નીચેના સ્થળે યોજાશે...
1) એસ. ટી. વર્કશોપની સામેની બાજુએ, ક્રોમા સ્ટોર આસપાસ..
2) બીજું સ્થળ :
સર્કિટ હાઉસની બાજુમાં બેંકના ઓટલા પર.. 📚પુસ્તકો સાથે અમે ઉપરોક્ત 2 જાહેર જગ્યાએ ઉપસ્થિત રહીશું. અગત્યની વાત...☔⛅🌨️🌈 ☔ વરસાદી વાતાવરણમાં અમે આ સ્થળની આજુબાજુ વરસાદથી 📚📕 પુસ્તકોને સાચવી શકાય એ રીતે ઊભાં હોઈશું. 🙏👍
* *પુસ્તક પરબ વલસાડ* દ્વારા પુસ્તકની નિઃશુલ્ક આપ લે થઈ રહી છે.
📕
*પુસ્તક વાંચ્યા પછી પરત કરવાનું સ્થળ*
શ્રી જગદીશ એન.આહિર
મિશન કોલોની, પાણીની ટાંકી સામે, હાલર, વલસાડ.
M.9824493097

આપ સૌના આભારી છીએ...🙏
- ડૉ.આશા ગોહિલ,
શ્રી હાર્દિક પટેલ
તથા
પુસ્તક પરબ વલસાડની
સમગ્ર ટીમ. આ સાથે જુલાઈ મહિનાના પુસ્તક પરબની ઝાંખી...

31/07/2026
વલસાડનો 55મો "પુસ્તક પરિચય" કાર્યક્રમ પૂજ્ય મોટા હાઇસ્કૂલ, માની-કપરાડા ખાતે પ્રકૃતિની ગોદમાં ઉજવાયો... "પુસ્તક પરિચય વલસ...
24/07/2026

વલસાડનો 55મો "પુસ્તક પરિચય" કાર્યક્રમ પૂજ્ય મોટા હાઇસ્કૂલ, માની-કપરાડા ખાતે પ્રકૃતિની ગોદમાં ઉજવાયો...

"પુસ્તક પરિચય વલસાડ" ની સફરનો 55મો મણકો તાલુકા કપરાડાના પર્વતીય પ્રદેશમાં આવેલ પૂજ્ય મોટા હાઇસ્કૂલ, માની ખાતે યોજાયો.
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અને ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત નર્મદા વિદ્યા સંકુલ, પૂજ્ય મોટા હાઈસ્કૂલ, માનીના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો. વિદ્યાર્થીનીઓએ હાથે બનાવેલા ગુલદસ્તાથી મહેમાનોનું સ્વાગત કર્યું.

આ પ્રસંગે હાઇસ્કૂલના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ અને ભરૂચ કોલેજના પ્રા. ડૉ. દીપકભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં "પુસ્તક પરિચય વલસાડ" ની કામગીરીને બિરદાવતા કહ્યું કે, "નાના બાળકો અને યુવાનો પુસ્તક પરિચય કરાવી રહ્યા છે તે જોઈને આનંદ થયો. આ સમયે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલ 'વાંચે ગુજરાત' અભિયાનની યાદ તાજી થઈ. આવા કાર્યક્રમો આપણી સંસ્થામાં પણ થવા જોઈએ."

વર્ષાઋતુના મનોહર વાતાવરણમાં ઘાટવાળા રસ્તાઓ પાર કરીને 7-8 ગાડીઓમાં 35 જેટલા પુસ્તકપ્રેમીઓ માની પહોંચ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં હાઇસ્કૂલના આચાર્યશ્રી ટીનાબેન, ગૃહમાતા જશવંતીબેન, ભેંસધરા હાઈસ્કૂલના શિક્ષિકા વંદનાબેન સોલંકી અને શ્રી પ્રકાશભાઈ મકવાણાના સહકારથી આયોજિત આ કાર્યક્રમમાં પુસ્તકો વિશે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આયોજિત થયો હોય સમગ્ર વાતાવરણ પુસ્તક્મય બની રહ્યું.
પુસ્તક પરબ,વલસાડ તરફથી વિધાર્થીઓના ઈતરવાંચન માટે પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા. શ્રી હેમંત ગોહિલ તરફથી એમના માતૃશ્રી પાલીબેન ખંડુભાઈ ગોહિલની સ્મૃતિમાં 100 જેટલાં પુસ્તકો માટે આર્થિક સહાય મળી.

કાર્યક્રમના પ્રથમ વિભાગમાં *હાર્વી રોહિત* એ "વિદ્યાર્થી નંબર વન" પુસ્તકનો અત્યંત સરસ પરિચય આપ્યો. સમર્થ પટેલ, આરુષ જોષી અને દેવશ્ય મકવાણાએ 'પ્રેરણા', 'લાફિંગ સ્કલ'અને 'રીચ ડેડ પુઅર ડેડ' નો પરિચય આપ્યો. વિવાન મેકવાને 'બા મને ચપટી વગાડતા આવડી ગઈ' ગીત ગાયને સૌને બાળપણમાં મોકલી દીધા. આમ નાના બાળકો તથા યુવાન દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ પુસ્તક પરિચયની વાતો થઈ જે માઇલસ્ટોન બની રહી !
હાર્દિક પટેલે 'દેશ વિદેશના વૈજ્ઞાનિકો' પુસ્તકનો પરિચય આપતા વિવિધ શોધક અને તેમની શોધોની માહિતી કરાવી. આ સાથે તેમણે એ પણ સમજ આપી કે આ શોધોને કારણે આપણું જીવન કેટલું તો સરળ બન્યું છે !! કેયુર રોહિતે આધુનિક એશિયાય વાતો' પુસ્તકનો પરિચય કરાવતા વાર્તા દ્વારા ઉત્તમ માનવીય ભાવોથી પરિચિત કર્યા. ડૉ. આશા ગોહિલે 'એક હતો કાર્વર' અને 'દેવદૂત' પુસ્તકનો પરિચય કરાવ્યો.
પુસ્તક પરિચયના અન્ય સભ્યો દ્વારા પૂર્તિ તથા પ્રશ્નો પણ થતા રહ્યા. નીલમભાઈ (ખોબા) એ કાર્વરના પ્રશ્નોને આદિવાસી જીવન સાથે સાંકળી લઇ પોતાની વાતને મૂકી આપી.
ચેતનાબેને માની ગામ અને ગ્રામીણ સંસ્કૃતિને વર્ણવતું ગીત બાળકો પાસે તૈયાર કરાવી પ્રસ્તુત કરાવ્યું.
બે તબક્કામાં આયોજિત થયેલા આ કાર્યક્રમમાં ડૉ. રામચંદ્ર જોશીએ સંચાલન દરમિયાન પુસ્તક વાંચનના મહત્વને જુદી જુદી રીતે બાળકો સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ કર્યો. શાળાના શિક્ષિકા જિજ્ઞાસાબેને કાર્યક્રમના અંતે આભારવિધિ કરી ...સાથે પુસ્તક પરિચયની આ પ્રવૃત્તિ શાળામાં કરાવીશું એવી ધરપત પણ આપી .
પુસ્તક પરિચય વલસાડ મહિનામાં એકવાર પુસ્તક વિશે વાતો કરે છે આ એક એવું ગ્રુપ છે જે જુદા જુદા સ્થળે જઈ પુસ્તકો વિશે વાતો કરી વિદ્યાર્થીઓને અભ્યાસેતર પુસ્તકો વાંચવા તરફ પ્રેરિત પણ કરે છે.
સુથારપાડા, ગિરનારાના વર્ષાબેન ચૌધરીએ વર્ષાગીતોની રમઝટથી ઉપસ્થિતોને આનંદ આનંદ કરાવી દીધો.

બે વિભાગમાં સંપન્ન થયેલ આ કાર્યક્રમ સાહિત્ય, સંગીત અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન રહ્યો. પુસ્તકોની આ યાત્રા અવિરત ચાલતી રહે એવી આશા પણ વ્યક્ત થઈ. - -આશા ગોહિલ,
વલસાડ.
તા.19/07/2026

📚 વલસાડના પુસ્તક પરબના 52 માં  મણકામાંથી   📚375 પુસ્તકોને વાચકો મળ્યા...વરસાદી સવાર... ⛅🌦️ધરતી પર  પુસ્તકોની સુગંધથી મહે...
05/07/2026

📚 વલસાડના પુસ્તક પરબના 52 માં મણકામાંથી 📚375 પુસ્તકોને વાચકો મળ્યા...

વરસાદી સવાર... ⛅🌦️ધરતી પર પુસ્તકોની સુગંધથી મહેકતું વાતાવરણ... આવા આનંદમય માહોલમાં પુસ્તક પરબ, વલસાડ બે જાહેર સ્થળોએ—સર્કિટ હાઉસની બાજુમાં તથા અબ્રામા એસ.ટી. વર્કશોપ સામે, ક્રોમા નજીક યોજાઈ .

🌦️☔વરસાદી વાતાવરણ વચ્ચે નાના ભૂલકાંઓ, યુવાનો અને વડીલોએ પરબની મુલાકાત લીધી . તેમણે પોતાના રસ અને પસંદગી મુજબના પુસ્તકો મેળવતાં વાંચન પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર વ્યક્ત કર્યો. બાળકોના ચહેરા પર પુસ્તકો મળ્યાનો આનંદ અને વડીલોના હાથમાં મનગમતા પુસ્તકો આ દૃશ્યો પરબને સાચા અર્થમાં જ્ઞાનના ઉત્સવમાં પરિવર્તિત કરતા હતા.

દર મહિનાના પ્રથમ રવિવારે નિયમિત યોજાતું પુસ્તક પરબ... આ માત્ર પુસ્તક વિનિમયનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં વાંચન સંસ્કૃતિનું એક જીવંત જનઆંદોલન બની ગયું છે. પુસ્તકને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના અને અભ્યાસેતર વાંચનની આદત વિકસાવવાના તેના પ્રયાસોને લોકસમર્થન મળી રહ્યું છે.

પુસ્તક પરબ, વલસાડના ચેરપર્સન ડૉ. આશા ખુશાલભાઈ ગોહિલ, હાર્દિક જી. પટેલ, સુનીતા ઢીમર, હિતેશ પટેલ, ટીના પટેલ, હિતેન પારેખ, દિલીપભાઈ દેસાઈ, વિલ્સન મેકવાન, કેયુર રોહિત, હંસા પટેલ, તેજલ પાડવી, અમન ગોહિલ તથા સમગ્ર ટીમની નિષ્ઠા, સેવાભાવ અને સુઆયોજિત કામગીરીના પરિણામે આ પ્રવૃત્તિ સતત વિકસી રહી છે. ટીમના અવિરત પ્રયાસો અને વાચકોના પ્રેમ-સહકારથી આજે પુસ્તક પરબ, વલસાડ આસપાસના વિસ્તારોમાં વાંચનપ્રેમનું વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે.

📚 આજે નવા 11 વાચકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી.😊

વિશેષ ઉપસ્થિતિ:જાયન્ટ્સ ગ્રૂપ
બીલીમોરાથી શ્રી વિજયભાઈ પટેલ, સુમંતરાય પટેલ તથા ફિરોઝભાઈ વરીયાવા ખાસ ઉપસ્થિત રહ્યા. વલસાડથી રણજીતસિંહ દેસાઈ, ઊર્મિલા દરજી, ખુશમનબેન ડોડીયા, શકુંતલાબેન પટેલ, દર્શના દેસાઈ, અમિતા પટેલ, બ્રિજેશ પટેલ, ઉન્નતી ચિંતન દવે, પ્રકાશ દવે, ભાવના મિસ્ત્રી, ભાવિન પટેલ, કાર્તિકી લાડ, ધ્રુવિલ પટેલ, બ્રિજેશ પાટીલ, જીતેન્દ્ર પટેલ, ધનવી પટેલ, દિવાકર વ્યાસ, પીનલ પટેલ, દુર્વા પટેલ, માધવી પંડ્યા, જસ્મિતા ટંડેલ, હિરલ પટેલ, પ્રતીક પટેલ, જૈમીન જરીવાલા, મીનલ દેસાઈ, કાશ્મીરા ચાવડા, દેવપાલ ટાપરિયા, નક્ષી શાહ , પાયલ યાજ્ઞિક , જયેશ ખત્રી, મનીષ જોષી, મિનેશ જાની, ભવિન પટેલ, હર્ષ દેસાઈ, આર્યન મહેતા, યશવંત કાનાત, રેખા મોરે, વિહા નાયક, પુનિત દેસાઈ, કનૈયાલાલ ટંડેલ, સુધા પટેલ, રીટા વાઘેલા તથા જીલ ટંડેલ સહિત અનેક વાચકોએ ગમતાં પુસ્તકો મેળવ્યા. 🙏
તા. 05/07/2026

02/07/2026

📚📕☔🌦️પુસ્તક પરબ – વલસાડ

સૌને નમસ્કાર🙏

જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર આપણા સૌની પુસ્તક પરબ, વલસાડ યોજાશે...
તારીખ: 05/07/2026 (રવિવાર)
સમય: સવારે 7:30 થી 9:30
સ્થળ:
1. એસ.ટી. વર્કશોપ સામે, ક્રોમા સ્ટોર આસપાસ.
2. સર્કિટ હાઉસની બાજુમાં, બેંકના ઓટલા પર.
પુસ્તક પરબ, વલસાડ દ્વારા પુસ્તકોની નિઃશુલ્ક આપ-લે કરવામાં આવી રહી છે.
અગત્યની સૂચના:
☔🌨️🌧️☔વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને પુસ્તકો સુરક્ષિત રહે તે માટે અમે ઉપરોક્ત સ્થળોની આસપાસ વરસાદથી બચી શકાય તેવી જગ્યાએ હાજર રહીશું. 👍

વાંચી લીધા પછી પુસ્તકો પરત આપવાનું સ્થળ:
શ્રી જગદીશ એન. આહિર
મિશન કોલોની, પાણીની ટાંકી સામે, હાલર, વલસાડ.
મો.: 9824493097
આપ સૌના સહયોગ અને સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર.🙏

– ડૉ. આશા ગોહિલ,
– શ્રી હાર્દિક પટેલ તથા પુસ્તક પરબ, વલસાડની સમગ્ર ટીમ.

📚 પુસ્તક પરબ, વલસાડ માટે ગૌરવની ક્ષણ...પ્રવેશોત્સવના પાવન અવસરે કન્યા વિદ્યામંદિર, વાપી પ્રાથમિક શાળામાં પુસ્તક પરબ, વલસ...
29/06/2026

📚 પુસ્તક પરબ, વલસાડ માટે ગૌરવની ક્ષણ...

પ્રવેશોત્સવના પાવન અવસરે કન્યા વિદ્યામંદિર, વાપી પ્રાથમિક શાળામાં પુસ્તક પરબ, વલસાડ દ્વારા ભેટરૂપે આપવામાં આવેલા પુસ્તકો બદલ પુસ્તક પરબને ' પુસ્તકદાતા' તરીકે સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન માનનીય રેમ્યા મોહન (પૂર્વ કલેક્ટર જિ. વલસાડ )ના શુભ હસ્તે પ્રાપ્ત થયું.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી મનીષાબેન પટેલ, શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારે પુસ્તક પરબ, વલસાડ પ્રત્યે લાગણી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ સન્માન પુસ્તક પરબના તમામ દાતાશ્રીઓ, સહયોગીઓ અને વાંચનપ્રેમીઓની સંયુક્ત યાત્રાનું ગૌરવ છે.🙏

"જ્યાં પુસ્તકો પહોંચે છે, ત્યાં સપનાઓને પાંખો મળે છે."
આ વિશ્વાસ સાથે પુસ્તક પરબ, વલસાડ જ્ઞાનનો પ્રકાશ વધુ ને વધુ બાળકો સુધી પહોંચાડવાનો સંકલ્પ જાળવી રાખશે.

📖 પુસ્તક પરબ, વલસાડ
વાંચનનો દીપ… ઉજ્જવળ ભવિષ્યની આશા. તા. 24/06/2026

પુસ્તક પરિચયનો 54મો મણકો.... 📚📖પુસ્તકપ્રેમીઓની જ્ઞાનયાત્રાનો 54મો મણકો 'સખ્યવાટિકા' બિનવાડા ખાતે સંપન્ન થયો. આ વખતે વિવિ...
24/06/2026

પુસ્તક પરિચયનો 54મો મણકો.... 📚📖

પુસ્તકપ્રેમીઓની જ્ઞાનયાત્રાનો 54મો મણકો 'સખ્યવાટિકા' બિનવાડા ખાતે સંપન્ન થયો. આ વખતે વિવિધ વિષયોને સ્પર્શતાં પુસ્તકોના પરિચય, વાંચનના અનુભવો અને પ્રવાસવર્ણન અંગેની ચર્ચાઓએ સમગ્ર કાર્યક્રમને રસપ્રદ બનાવ્યો.
વૈશાલી જોષીએ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી. સૌપ્રથમ હાર્દિક પટેલે' સફર સૉલિસિટરની ' પુસ્તકનો પરિચય કરાવ્યો. આ પુસ્તકમાં રામદાસ ગાંધીએ પોતાના જીવનના વિવિધ તબક્કાઓ, વ્યવસાયિક અનુભવ અને સોલિસિટર તરીકેની સફરને સરળ અને રસપ્રદ ભાષામાં રજૂ કરી છે. સામાન્ય પરિસ્થિતિમાંથી શરૂઆત કરીને કાયદાકીય ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરવાની તેમની યાત્રા પુસ્તકનો મુખ્ય વિષય છે.
શાળામાં અભ્યાસ કરતો આરુષ જોષીએ સુધા મૂર્તિનું લોકપ્રિય અંગ્રેજી પુસ્તક 'Grandma’s Bag of Stories' માં દાદીમાની વાર્તાઓનો સીધો સંદેશ બાળ સહજ શૈલીમાં કરાવ્યો.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ઋત્વિકાએ ' The Anxious Generation' અને 'The Amazing Generation' પુસ્તકોનો ખૂબ સરસ રીતે પરિચય કરાવ્યો. આજની ડિજિટલ પેઢી, મોબાઇલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ તેમજ તેના કારણે બાળકો અને કિશોરોમાં જોવા મળતી ચિંતા, એકલતા, માનસિક પડકારો અને તેના ઉપાયો સંદર્ભે આત્મવિશ્વાસપૂર્ણ સમજ આપી.
અર્ચનાબેને લેખક જીતેશ દોંગાના પુસ્તક 'રામબાઈ' નો આસ્વાદ કરાવ્યો. પુસ્તકના મર્મને સંક્ષિપ્ત છતાં સરળ રીતે રજૂઆત કરવાની શૈલી સૌને ગમી.
અહીં ફક્ત પુસ્તકનો પરિચય જ નહીં પરંતુ તાજેતરમાં કરેલ પ્રવાસ વર્ણનને પણ અવકાશ છે. ડૉ.આશા ગોહિલે તેમના લેહ-લદાખ પ્રવાસના અનુભવો સભ્યો સાથે વહેંચ્યા. હિમાલયનું અદભુત કુદરતી સૌંદર્ય, બરફાચ્છાદિત પર્વતો, વિશાળ ખીણો અને શાંત વાતાવરણનું જીવંત વર્ણન કર્યું. દેશની સરહદે વસતા લોકોના જીવન અને સૈનિકોના સમર્પણ વિશેની માહિતી હોય કે બૌદ્ધ સાધુઓની સાદગીપૂર્ણ જીવનશૈલી - દરેક વાતોએ સૌનું ધ્યાન ખેંચ્યું. હકીકતમાં પ્રવાસ વ્યક્તિને નવા લોકો, નવી સંસ્કૃતિઓ અને વિવિધ જીવનશૈલીઓ સાથે પરિચિત કરાવે છે, જેના કારણે જ્ઞાનનો વ્યાપ વધે છે અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ સમૃદ્ધ બને છે.
અંતમાં દીપકભાઈ મર્ચન્ટે 'How to read ' વિષય પર સમજાવ્યું કે વાચન એક કળા (Art of Reading) છે અને માત્ર માહિતી મેળવવી પૂરતી નથી, પરંતુ ધીમે અને સમજપૂર્વક વાંચવું, નોંધો તૈયાર કરવી, વિચારમંથન કરવું અને વાંચેલી બાબતોને અન્ય સાથે વહેંચવી જોઈએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત પુસ્તકપ્રેમીઓ પૈકી સુનિલભાઈ, સીમા ભટ્ટાચાર્ય વગેરે એ પોતાના વાંચનના અનુભવો વહેંચ્યા અને એકબીજાને વધુ પુસ્તકો વાંચવા પ્રેરિત કર્યા.
હિતેશભાઈ, ટીના, ડૉ. રામ જોષી, નીલમભાઈ, જીગર પટેલ, રવિ પટેલ, ભીખુભાઈ ભાવસાર, નિલિમાબેન, , જયના, હંસા, શિલ્પા, સીમા ભટ્ટાચાર્ય, સુનિલભાઈ, અમિષાબેન મળી લગભગ 30 જેટલાં પુસ્તકપ્રેમીઓએ હાજર રહી કાર્યક્રમને માણ્યો.
પુસ્તકો દ્વારા મળતા જ્ઞાન, સંવેદના અને જીવનમૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આગામી મણકાઓમાં પણ સતત આગળ વધતો રહેશે એવી આશા સાથે 54મો મણકો સફળતાપૂર્વક પૂર્ણ થયો.
તા. 13/06/2026📚📖

Address

Valsad
396001

Opening Hours

7:30am - 9:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when Pustak Parab Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share